Published By : Disha PJB
આપણા ખોરાકમાં અનાજ, કઠોળ અને શાકભાજી વગેરેનો સમાવેશ કરવો આપણા માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. એમાં પણ જો કઠોળની વાત કરીએ તો બધા જાણો જ છો કે ફણગાવેલા કઠોળ ખાવા શરીર માટે ખુબજ વધારે ફાયદાકારક છે પરંતુ અહીંયા તમણે તેના વિશેષ ફાયદાઓ વિશે જણાવીશું.
1) લોહીની અશુદ્ધિ દૂર કરે છે:
ફણગાવેલા કઠોળ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર કાઢે છે અને લોહી સાફ કરે છે. લોહી સાફ થઈ જાય તો લોહીના કારણે જે બીમારીઓ થાય છે તે દૂર થાય અને લોહી સાફ કરવાથી ત્વચા સંબંધી બીમારીમાં પણ રાહત મળે છે.

2) પાચનને સારું રાખે:
પાચન માટે ફણગાવેલા કઠોળ ને ખુબજ સારો ખોરાક ગણવામાં આવે છે. ફણગાવેલા કઠોળમાં વિટામીન એ, બી, સી અને આયર્ન, મેગ્નેશિયમ જેવા બધા જ પોષક તત્વો હોય છે. તેમજ તેમાં ફાઇબર ની પણ ખૂબ જ માત્રા હોય છે. તમારી હેલ્થ માટે ખૂબ જ સારું છે.
3) હાડકા મજબુત કરે:
ફણગાવેલા કઠોળમાં કેલ્શિયમ સૌથી વધુ આવેલું હોય છે. માટે જો દરરોજ એક વાટકી ફણગાવેલા કઠોળ બાળકો અને વૃદ્ધોને આપવામાં આવે તો તેમના હાડકા મજબુત રહે છે અને શરીરમાં કેલ્શિયમની ઊણપ ક્યારેય સર્જાતી નથી.
4) મેદસ્વીતા દૂર કરે છે:
જેમનું વજન વધારે હોય, જે લોકોને થાક વધારે લાગતો હોય, જે લોકોને આળસ વધારે આવતી હોય તે લોકોએ ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. ફણગાવેલ અનાજ શરીરમાંથી એસિડને દૂર કરે છે અને શરીરમાં ઉર્જા વધારે છે. તેમજ વધારાની કેલેરી ઘટાડે છે .