Published by : Rana Kajal
- ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિ.મી દુર નોંધાયુ હતું
કચ્છમાં ભચાઉ નજીક આજે તા 29 ઓકટોબરના સવારે 8:19 મિનિટે 3.2 તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. જેમાં રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતા નોંધાઈ છે. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિ.મી દુર નોંધાયુ છે.હાલમાં વાંરવાર કચ્છમાં ભૂકંપ આવે છે, ત્યારે કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે. તેના કારણો જોતા કચ્છ યૂનિવર્સિટીના સંશોધન મુજબ આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે.જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે વર્ષ 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે.તે સમયે ભૂકંપ આવ્યો ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે 6 મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા 75 કિલોમીટર સુધી પ્લેટો તૂટી ગઈ હતી.પ્લેટોની નુકસાની આજ સુધી યથાવત રહેતા આ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા રહે છે. કચ્છ જેવી જ ફોલ્ટલાઈન હિમાલયમાં એક્ટિવ કચ્છમાં જે પ્રકારની ફોલ્ટલાઈન એક્ટિવ છે.એવી જ MCT નામની ફોલ્ટલાઈન હિમાલયની તળેટીમાં પણ જેમાં પણ સમયાંતરે ભૂકંપના તીવ્રતાના આંચકા અનુભવાતા રહે છે.