- દિલ્હી હાઇકોર્ટમાં બે ગણો ટોલ ટેક્સ વસૂલવાના નિયમને પડકાર્યો. આગામી સુનાવણી ૧૮ એપ્રિલે
- ચાર સપ્તાહમાં જવાબ દાખલ કરવા આદેશ
ફાસ્ટેગ વગરના વાહનો પાસેથી બેગણો ટોલ ટેક્સ વસૂલ કરવાના નિયમને પડકારતી અરજીના સંદર્ભમાં દિલ્હી હાઇકોર્ટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ) અને કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે.
મુખ્ય ન્યાયમૂર્તિ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદની ખંડપીઠની આ અરજીના સંદર્ભમાં એનએચએઆઇ અને સડક પરિવહન અને હાઇવે મંત્રાલયને નોટીસ આપવામાં આવી છે જેમાં દલીલ કરવામાં આવી છે કે આ નિયમ ભેદભાવપૂર્ણ, મનસ્વી અને જનહિતની વિરુદ્ધ છે કારણકે રોકડમાં ફાસ્ટેગ વસૂલ કરવા પર એનએચઆઇએને બેગણો ટોલ ટેક્સ એકત્ર કરવાનો અધિકાર આપે છે.
હાઇકોર્ટે અધિકારીઓને પોતાનો જવાબ દાખલ કરવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે અને કેસની આગામી સુનાવણી ૧૮ એપ્રિલ નક્કી કરવામાં આવી છે. અરજકર્તા રવિન્દ્ર ત્યાગીએ નેશનલ હાઇવે ફી (ડિટરમિનેશન ઓફ રેટ્સ એન્ડ કલેક્શન) એમેન્ડમેન્ટ રૃલ્સ, ૨૦૨૦ની એક જોગવાઇ રજુ કરવાની માગ કરી છે. ફાસ્ટટેગ એક એવું ઉપકરણ છે જેમાં ટોલ ટેક્સની ચુકવણી કરવા માટે રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફીકેશન (આરએફઆઇડી) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.