- હાય મહગાઈ…હાય મહગાઈ…તું કહાસે આઇ…તુઝે ક્યું મોત ન આઇ…. હવે કુપોષણની સમસ્યા વધુ જટીલ બનશે…. દુધ મોંઘુ થતાં….મોઘવારીનુ ચક્રશરુ…. હવે ચા મોંઘી… ઘી મોઘું…પનીર મોઘું… દુધ પર આધારીત તમામ પ્રોડક્ટ મોંઘી બનશે….
એક તરફ હાલમાંજ રજૂ થયેલ નાણાકીય બજેટને અર્થશાસ્ત્રીઓ મધ્યમવર્ગને રાહત આપનારું જણાવી રહ્યા છે. ત્યાં બીજી બાજુ અમૂલે દૂધના ભાવમાં લીટરે ત્રણ રૂપિયા વધારો કરી. મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવી નાખ્યું છે. હવે બાળકોમાં કુપોષણની ગુજરાતની અતિ જટીલ સમસ્યા વધુ જટીલ બનશે…
હાલ માંજ કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિતારમને બજેટ રજૂ કર્યું જે અંગે અર્થશાસ્ત્રીઓએ જણાવ્યુ કે આ બજેટ મધ્યમ વર્ગને રાહત આપનારું સાબીત થશે . જ્યારે કેટલાકે એમ પણ જણાવ્યુ કે આ બજેટ લોકસભાની ચૂંટણી નજીક હોવાથી ચૂટણી લક્ષી બજેટ છે . બજેટ રજૂ કર્યા બાદ ગણતરીના સમયમાંજ અમૂલે તેના ભાવમાં લિટરે ત્રણ રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો આ ભાવ વધારો મધ્યમ વર્ગ માટે કમ્મર તોડ સાબીત થશે. માત્ર ભરૂચ જીલ્લાની વાત કરીએ તો જિલ્લામા ઍક ગણતરી મુજબ મધ્યમ વર્ગના લોકો અથવા તો કુટુંબ સરેરાશ દેનિક 1 લીટર દૂધનો વપરાશ કરે છે. તેથી સ્વાભાવિક રીતે હાલ ભાવ વધારાની કરાયેલ જાહેરાત મુજબ હવે દર મહિને મધ્યમ વર્ગના કુટુંબે માસીક રૂ 150કરતા વધુ માત્ર દુધની ખરીદી અંગે ખર્ચ કરવો પડશે.
તેથી સ્વાભાવિક રીતે મધ્યમ વર્ગના કુટુંબનું બજેટ ખોરવાય જાય તેનું કારણ એ પણ છે કે દૂધના ભાવ વધારા જેટલો વધારો આવકમાં થતો નથી. સાથે એ બાબત પણ મહત્વની છે કે દૂધનો ભાવ વધારો એ દૂધ પર આધારીત તમામ બનાવટો ના ભાવ વધારા માટે કારણભૂત બનશે. ચા… ઘી.. પનીર… મીઠાઈ.. તમામ ચીજ વસ્તુઓ મોંઘી બનશે. તેથી વાસ્તવમાં આ અમૂલ દૂધના ભાવનો વધારો વાસ્તવમાં મધ્યમ વર્ગના લોકો માટે માસીક રૂ 250કરતા વધૂનો આર્થિક ખાડો પાડશે. કુપોષણ એ ગુજરાતની મૂખ્ય સમસ્યા છે. ત્યારે આ ભાવ વધારાના કારણે નાના બાળકો માટે દૂધ વાલીઓ ખરીદી શકશે કે નહીં તે એક મોટી સમસ્યા છે… તેથી અમૂલ દૂધના ભાવ વધારા માટે એટલુજ કહી શકાય કે આ ભાવવધારો મોઘવારીમા^ વધુ વધારો કરશે