Published by : Vanshika Gor
આ વખતે બરોડા ડેરીના ડિરેક્ટર પર સગા સંબંધીઓને નોકરીએ રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ આક્ષેપ ભાજપના જ ધારાસભ્ય કેતન ઈનામદારે લગાવ્યો છે અને ગાંધીનગરમાં લેખિતમાં રજૂઆત કરી છે, જેને લઈને ખળભળાટ મચી ગયો છે. હવે સમગ્ર મામલે સહકાર મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.
ડિરેક્ટરો પર ગેરરીતિ કર્યાનો આરોપ
બડોડા ડેરીમાં વટીવટમાં ગેરરીતિ થતી હોવાના કારણે અગાઉ પણ ચર્ચામાં આવી ચૂકી છે. એવામાં ફરી એકવાર બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારની રજુઆતને લઈને મામલે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સહકાર મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં કેતન ઈનામદારે આરોપ લગાવ્યો છે કે, બરોડા ડેરાના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ રાઉલજી અને ડેરીના ડિરેક્ટર અને ઉપપ્રમુખ જી.બી સોલંકીએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે

ડિરેક્ટરોને દૂર કરવા અને સગાઓને નોકરીએથી કાઢી મૂકવા ભલામણ
કેતન ઈનામદારે સહકાર મંત્રી જગદીશ પંચાલને લખેલા પત્રમાં કહ્યું છે કે, બરોડા ડેરીના ડિરેક્ટરો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સગાઓને નોકરી પર રાખ્યા છે. જે નિયમ વિરુદ્ધ છે. સહકારી કાયદા મુજબ બંને ડિરેક્ટરને દૂર કરવા અને તેના સગાઓને પણ નોકરી પરથી કાઢી મૂકવા માટે ભલામણ કરી છે.