Published By : Parul Patel
ભારત સરકારે ચોખા અંગે લીધેલ નિર્ણય વિવિઘ દેશો માટે ભૂખમરાનું સંકટ ઊભું કરે તેવી સંભાવના ઉભી થઈ છે.
ભારતની સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે ઘણા દેશોમાં ચોખાનું સંકટ ઉભું થશે. ખાસ કરીને એવા દેશો કે જેઓ ચોખા માટે સીધા ભારત પર નિર્ભર છે. ભારત વિશ્વમાં સૌથી વધુ ચોખાની નિકાસ કરતો દેશ છે. ભારતથી યુરોપ, અમેરિકા અને આફ્રિકા તેમજ એશિયા ખંડ સહિતના અનેક દેશોમાં ચોખાની નિકાસ થાય છે.
ખાદ્યનિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓની વધતી કિંમતોને રોકવા માટે કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે દેશના મોટાભાગના લોકોનો ખોરાક માત્ર ચોખા છે. ખાસ વાત એ છે કે ભારતીય લોકો નોન-બાસમતી ચોખાનું સૌથી વધુ સેવન કરે છે. જો નોન-બાસમતી ચોખાની નિકાસ ચાલુ રહી હોત તો તેના ભાવ વધી શક્યા હોત. આવી સ્થિતિમાં સામાન્ય જનતાનું પેટ ભરવું મુશ્કેલ બની જશે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખા પર થોડા દિવસો માટે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. મોટાભાગના નોન-બાસમતી ચોખા ભારતમાંથી નેપાળ, કેમરૂન, ફિલિપાઈન્સ અને ચીન સહિતના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. જો આ પ્રતિબંધ લાંબા સમય સુધી રહેશે તો આ દેશોમાં ચોખાની અછત સર્જાઈ શકે છે. ખાસ કરીને નેપાળને સૌથી વધુ અસર થશે. કારણ કે નેપાળ ભારતનો પડોશી દેશ છે. તે બિહાર અને ઉત્તર પ્રદેશ સાથે તેની સરહદો જોડાયેલી છે. ઓછા અંતરને કારણે નેપાળને ટ્રાન્સપોર્ટ પર ઓછો ખર્ચ કરવો પડે છે. જો તે બીજા દેશમાંથી ચોખા ખરીદે છે, તો તેણે નિકાસ પર વધુ ખર્ચ કરવો પડશે. આ કારણે નેપાળ પહોંચતા જ ચોખાના ભાવ વધશે, જેના કારણે મોંઘવારી પણ વધી શકે છે…