Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateબિપરજોયની અસર ડુમ્મસના દરિયામાં : વાવાઝોડું આખા દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઇ ગયું...

બિપરજોયની અસર ડુમ્મસના દરિયામાં : વાવાઝોડું આખા દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઇ ગયું પરંતુ સુરતમાં આવતીકાલ સાંજ સુધી ભારે પવન સાથે અસર વર્તાશે.

Published By : Disha PJB

બિપરજોય વાવાઝોડું આખા દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઇ ગયું છે.પરંતુ તેની અસર ડુમસના દરિયામાં જોવા મળી રહી છે. દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.દરિયામાં સાત થી આઠ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.ડુમસ બીચના દરિયાઈ ગણેશ મંદિરના દાદર સુધી પાણીના મોજા ઉછળી રહ્યા છે. જો કે સાવચેતીના ભાગરૂપે ડુમસ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

બિપરજોય વાવાઝોડાને લઈને આજરોજ સુરત જિલ્લા કલેકટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડું આખા દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઇ ગયું છે.પરંતુ તેની અસરના કારણે હજી પણ 40 થી 50 કીમીની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે. આ અસર આવતીકાલ સુધી રહેશે. પરંતુ આપણે ત્યાં વાવાઝોડું આવાની શક્યતાઓ નથી. તેમાં છતાં આપણે ડુમસ, સુવાલી અને દબારી બિચ લોકોની સવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે.ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ચાલુ રાખવામાં આવ્યો છે. રોરો ફેરીની સર્વિસ પણ હાલ બંધ કરવામાં આવી છે.તે હજી પણ બે દિવસ સુધી બંધ રાખવામાં આવશે.

બિપરજોયને કારણે સુરતમાં ઠેક ઠેકાણે વૃક્ષ ધરાશયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે.ક્યાંક રસ્તાઓ ઉપર તો ક્યાંક પાર્ક કરવામાં આવેલી ગાડીઓ ઉપર છેલ્લા 5 દિવસ એટલે કે 11 તારીખ થી લઇ આજે 15 તારીખ સુધી બપોરે 1 વાગ્યાં સુધીમાં કુલ 86 વૃક્ષો ધરાશયી થયા છે. જેમાં 6 વૃક્ષો પાર્ક કરવામાં આવેલી ગાડીઓ ઉપર પડતા નુકશાન પણ થયું છે. મહત્વની બાબત એ છે કે, આ ઘટનાઓમાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી.અને હાલ પણ શહેરમાં જ્યાં વૃક્ષ ધરાશયી થઈ રહ્યા છે.અને ફાયર વિભાગ સતત કાર્ય કરી રહ્યું છે.

બીપરજોય વાવાઝોડુંનું સંકટ હાલ તો દક્ષિણ ગુજરાતમાં જોવામાં આવતું નથી પરંતુ હવે આની અસર ખાસ કરીને સોમનાથ, દ્વારકા, પોરબંદર, કચ્છ, માંડવી, જામનગરમાં જોવા મળી રહ્યું છે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સરકારના આદેશ અનુસાર સુરત મહાનગરપાલિકાની ફાયર વિભાગની એક ટીમ પોરબંદરના ઓખા બંદર ઉપર મોડી રાત્રે રવાના કરવામાં આવી છે.તેઓ પોતાની સાથે રેસ્ક્યુ સાધન સામગ્રી સાહિત, ઇમરજન્સી રેસ્ક્યુ વેહિકલ સાથે બચાવ રેસ્ક્યુ કામગીરી અર્થે રવાના કરવામાં આવ્યા છે.જેમાં 1 અધિકારી, 2 ડ્રાઇવર તથા 5 ફાયરમેન મળી કુલ 8 જવાનો રવાના થયા છે.

ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!