Published by : Rana Kajal
બિલકિસ બાનો મામલે 14 જેટલા આરોપીઓને આજીવન કેદની સજા હોવા છતા ગુજરાત સરકારે આરોપીઓને છોડી દીધા હતા. જે અંગે અરજી કરવામા આવતા સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવી હતી. બિલકિસ બાનું અને તેમના પરિવાર પર ગુજારવામાં આવેલ બળાત્કાર અત્યાચાર અંગે 11 આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી. પરંતું સજા પુર્ણ થાય તે પહેલા ગુજરાત સરકારે આરોપીઓને છોડી મૂક્યા હતા. જે અંગે બિલકિસ બાનુ એ સુપ્રીમ કોર્ટમા ગુહાર લગાવી હતી . જેની સુનાવણી સોમવારે ન્યાયાધીશ કે એમ જોસેફ અને બી વી નાગરત્નાએ કરી હતી. બિલકિસ બાનુના વકીલ શોભા ગુપ્તાએ દલીલો કરતા જણાવ્યું હતુ કે આ કેસનું કાર્યક્ષેત્ર મહારાષ્ટ્ર છે ગુજરાત નહી. સાથે વકીલે એમપણ જણાવ્યુ કે આ ખુબ ભાવુક કેસ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ગુજરાત સરકાર અને દોષિતોને નોટિસ પાઠવી છે. સાથેજ નિર્ણય અંગે દસ્તાવેજો સુપ્રીમે માંગ્યા છે આગામી સુનાવણી તા 18 એપ્રિલના રોજ કરવામાં આવશે.