Home News Update My Gujarat બિલ્ડરો માટે મહત્વનું : શ્રમિકોને બપોરે 1થી 4 વાગ્યા સુધી રજા આપવી...

બિલ્ડરો માટે મહત્વનું : શ્રમિકોને બપોરે 1થી 4 વાગ્યા સુધી રજા આપવી પડશે…

0

Published by : Rana Kajal

ગુજરાતમાં વધતી જતી કાળઝાળ ગરમીના કારણે સરકારે એવો આદેશ કર્યો છે કે બાંધકામના વ્યવસાયમાં કામ કરતા શ્રમિકોને બિલ્ડરોએ બપોરના 1થી 4વાગ્યા સુઘી રજા આપવાની રહેશે. મજૂરોના સ્વાસ્થ્ય માટે સરકારે આ નિર્ણય લીધો છે. સરકારના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો 2003 ના નિયમ -50 પ્રમાણે વિશ્રામનો સમય ગણવાનો રહેશે. એમ પણ જણાવવામાં આવ્યું છે. અત્રે નોંધવું રહ્યું કે રાજ્યમાં બાંધકામની સાઈટો પર વહેલી સવારથી મોડી સાંજ સુધી સતત કામ ચાલતુ હોય છે હાલ ગરમીના દિવસો હોય બાંધકામની ઘણી સાઈટ એવી પણ હોય છે જ્યાં સીધા તડકા નીચે શ્રમજીવીઓ કામ કરતા હોય છે ત્યારે કાળઝાળ ગરમીના કારણે શ્રમજીવીઓના આરોગ્ય અંગે સમસ્યા ઉભી થઇ શકે છે આ ઉપરાંત માર્ગો ના ચાલતા કામો મા પણ શ્રમજીવીઓ માટે ગરમીમા ખુબ કઠીન કામગિરી કરવી પડે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version