Friday, July 25, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateબિહારમાં નીતિશની મુસ્લિમોને મોટી ભેટ….

બિહારમાં નીતિશની મુસ્લિમોને મોટી ભેટ….

Published by : Vanshika Gor

  • રમઝાનમાસમાં એક કલાક મોડા ઓફિસ આવો..એક કલાક વહેલા નીકળી જાઓ.ભાજપે ઉઠાવ્યા સવાલ….

વર્ષ 2024મા યોજાનારી લોકસભાની ચૂંટણી અંગે તમામ રાજકીય પક્ષોએ તૈયારીનો આરંભ કરી દીધો છે તેવામાં બિહારના મુખ્ય મંત્રી નીતીશ યાદવે મુસ્લિમો માટે રમઝાન માસ અંગે ખાસ જાહેરાત કરી છે.બિહારની મહાગઠબંધન સરકારે રમઝાનને લઈને સરકારી મુસ્લિમ કર્મચારીઓને મોટી ભેટ આપી છે. નીતિશ કુમારની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારે રમઝાનને લઈને આદેશ જારી કર્યો છે. જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે,રમઝાન મહિનામાં મુસ્લિમ સમુદાયમાંથી આવતા સરકારી કર્મચારીઓને તેમના કાર્યાલયમાં નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડા આવવા અને નિર્ધારિત સમય કરતાં એક કલાક વહેલા પાછા ફરવા અંગે છુટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારના આ નિર્ણય અંગે કહેવામાં આવી રહ્યું છે કે આના કારણે કર્મચારીઓને રમઝાન મહિનામાં રાહત મળશે.
બિહાર રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે હંગામી કર્મચારીઓની સાથે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પર કામ કરતા મુસ્લિમ કર્મચારીઓ પણ આ નિર્ણયનો લાભ લઈ શકશે. નીતીશ કુમાર સરકારના આ નિર્ણય પર સરકારના સહયોગી પક્ષોએ ખુશી વ્યક્ત કરી છે તો બીજી તરફ ભાજપે આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે.કે સરકારે નવરાત્રી, રામ નવમી અને સાવન પર પણ આદેશ આવાજ જારી કરવો જોઈએભાજપના પ્રવક્તા અરવિંદ સિંહે જણાવ્યુ કે સરકારના આ નિર્ણય બાદ અમે માંગ કરી છે કે સરકાર નવરાત્રી, રામ નવમી અને સાવન મહિનાઓ માટે સમાન આદેશ અને પત્ર જારી કરે. આ નિર્ણય સરકારની બેવડી માનસિકતા દર્શાવે છે. તે જ સમયે, સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી સરકારી કચેરીઓમાં કામકાજને અસર થશે નહીં. કાર્ય સરળતાથી ચાલશે. અન્ય કર્મચારીઓ તેમના નિર્ધારિત સમય મુજબ કામ કરવાનું ચાલુ રાખશે.


જૉકે છેલ્લી કેટલીક ચૂંટણીઓથી, AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ બિહારના મુસ્લિમ મતોમાં ભાગલા પાડ્યા છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી. ઓવૈસીની પાર્ટીના વધતા પ્રભાવને કારણે જેડીયુ અને આરજેડી બંને મુશ્કેલીમાં છે. હવે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે જેડીયુ અને આરજેડી મુસ્લિમ મતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી આ મત ઓવૈસીની પાર્ટીમાં ટ્રાન્સફર ન થાય. તેના ઍક ભાગ રૂપે મુસ્લિમોને રાજી કરવા આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ પણ માનવામાં આવી રહ્યુ છે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!