Published by : Rana Kajal
રામનવમીના દિવસથી દેશના બિહાર રાજ્યમા હિંસાના બનાવો બની રહ્યા છે. અત્યાર સુધી બિહારના રોહતાસ જિલ્લાના સાસારામ અને નવાદા જિલ્લાના બિહાર શરીફમા હિંસા ના બનાવો બન્યા છે. ત્યારબાદ બિહારના અન્ય ત્રણ જિલ્લાઓ મુગેર, ભાગલપુર અને મુઝફફરપુર મા પણ હિંસા ફેલાઇ છે. ત્યારે હિંસા અંગે 112લોકોની ધરપકડ કરવામાં આવી છે. આવી પરિસ્થિતીમાં બિહારના રાજકારણમા પણ ગરમાવો આવી ગયો છે તેવામાં બિહારના નવાદા જિલ્લાના હિસુઆ ખાતે યોજાયેલી રેલીને સંબોધન કરતા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પછી બિહારમાં ભાજપની સરકાર બનશે. ત્યારે તોફાનીઓને ઉંધા કરી સીધા કરવામા આવશે અને તોફાનીઓ શોધ્યા નહીં જડે…