Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratબીટીપી અને કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય...કોંગ્રેસનાં દ.ગુ.ના પ્રભારી બી.એલ. સંદીપનો સંકેત

બીટીપી અને કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય…કોંગ્રેસનાં દ.ગુ.ના પ્રભારી બી.એલ. સંદીપનો સંકેત

  • જે લોકો ભૂતકાળમાં કોંગ્રેસ સાથે ન રહ્યા તેઓને શું સાથે રાખવા ?

ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને બીટીપીનું ગઠબંધન નહીં થાય તેવા સંકેત કોંગ્રેસનાં દ.ગુ.ના પ્રભારી બી.એલ. સંદીપે આપ્યા છે. તેઓ આજરોજ નર્મદા જીલ્લામાં હતા જ્યાં તેઓએ બીટીપી ભૂતકાલમાં કોંગ્રેસ સાથે ન ર્હઈ તો હવે શું રહેશે તેમ જણાવ્યુ હતું. ચૂંટણીઓ નજીક આવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ ગુજરાત ભરમાં મોંઘવારી મુદ્દે જાહેર રેલી કરી એક જિલ્લામાં થી બીજા જિલ્લા જઈ લોકોને જાગૃત કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાંથી ફરીને આ રેલી નર્મદાના મોવી ખાતે  આવી પહોંચી હતી. જેમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ  પ્રભારી બી એલ સંદીપ પ્રદેશ કોંગ્રેસના   કાર્યકારી પ્રમુખ   ઇન્દ્રવિજયસિંહ ગોહિલ  સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ભાજપ દ્વારા દેશમાં બે ફામ મોંઘવારી વધારવામાં આવી છે. તેમના ખોટા ખર્ચાઓ સરકારી ચોપડે પડે છે અને લોકોના ટેક્સના રૂપિયે ભાજપ પોતાની પાર્ટીનો પ્રચાર કરે છે એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. હાલ મોટી ચર્ચા ગુજરાતમાં એ ચાલી રહી છે કે BTP અને કોંગ્રેસ ગઠબંધન કરશે  જે બાબતે પ્રભારી   બી એલ સંદીપ અને  ઇન્દ્રવિજયસિંહ ગોહિલે સંકેત આપ્યા છે કે BTP અને કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય તેઓનું કહેવું છે કે જે પક્ષના નેતાઓ રાજ્યસભામાં જો ગત ટર્મમાં કોંગ્રેસ સાથે ન રહ્યા અને વારંવાર કોંગ્રેસ સાથે ધોખાબાજી કરી તેઓને સાથે શું કામ રાખવા. જો કે આ સંકેત હાલ આપવામાં આવ્યું છે. આગળ તો ચૂંટણી છે અને રાજકારણમાં બધુ જ શક્ય છે.

(ઈનપુટ : દિપક પટેલ, નર્મદા)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!