Published by : Rana Kajal
બોલર અર્શદીપને બીસીસીઆઇ એ આકરી સજા ફટકારી છે…આગામી જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થવાની છે. જ્યાં બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ, 3 ODI અને ઈન્ટરનેશનલ સિરીઝ રમવાની છે. આ પ્રવાસ 12મી જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. તે પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટેસ્ટ અને ODI માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં ભારતીય ટીમના ડેથ સ્પેશિયાલિસ્ટ બોલર અર્શદીપ સિંહની ધરાર અવગણના કરવામાં આવી છે.
અર્શદીપ સિંહની આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી વનડે અને ટેસ્ટ શ્રેણી માટે પસંદગી કરવામાં આવી નથી.હાલના દિવસોમાં અર્શ દીપ ઈંગ્લેન્ડમાં છે જ્યાં તેણે કેન્ટ માટે કાઉન્ટી ડેબ્યૂ કર્યું હતું. આ જ કારણ હોઈ શકે છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેને ટેસ્ટ અને ODI માટે 15 સભ્યોની ટીમમાં સામેલ ન કર્યો. જો કે ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 5 T20 ઈન્ટરનેશનલ મેચોની સીરીઝ રમાવાની છે. જેમાં અર્શદીપ સિંહ રમતા જોવા મળી શકે છે.