Published by : Rana Kajal
જામિયા મિલ્લીયા ઇસ્લામિયા JMI કોર્ટ (અંજુમન) ના સદસ્યોએ સર્વ સહમતી થી ડોકટર જામિયા મિલ્લીયા ઇસ્લામિયાસૈય્યદના મુફદલ સૈફુદ્દીનને નવા ચાન્સલર બનાવ્યા છે જામિયા અંજુમનમા 45 સભ્યો હોય છે. જેમાં ત્રણ સાંસદનો પણ સમાવેશ થાય છે. ડોકટર સૈફુદ્દીન આજે તા. 14 માર્ચના રોજ કાર્યભાર સંભાળશે તેમજ આવનાર 5 વર્ષો સુધી આ પદ પર રહેશે. તેઓ નઝમા હેપ તુલ્લાની જગ્યા સંભાળશે. અત્રે નોંધવું રહ્યું કે ડોકટર સૈય્યદના સૈફુદ્દીન બોહરા સમાજનાં 53મા ધર્મગુરૂ છે. તે વર્ષ 2014થી ધર્મગુરૂનુ પદ સંભાળી રહ્યા છે.યુનિવર્સીટી તરફથી જણાવાયું છે કે ડોકટર સેય્યદના મુફદલ બોહરાએ પોતાનું જીવન સમાજના વિકાસ માટે સમર્પિત કરેલ છે. સમાજમાં શિક્ષણ, પર્યાવરણ, અને સમાજના આર્થિક અને સામાજિક પાસાઓ પર તેમણે કાર્યકાર છે. તેમણે ગુજરાતના સુરતમાં અલ જામિયા તુલ સૈફિયામાંથી તાલીમ મેળવી છેસાથે જ તેમણે મુબઅલ જામિયા તુલ સૈફીયામાં નવા કેમ્પસનું પણ તાજેતરમાં ઉદ્ઘાટન કર્યુ હતું.