Published By : Parul Patel
- ✍️ છ-છ ટર્મથી ભરૂચ જિલ્લાના ભાજપના સાંસદ બનતા “મનસુખલાલ હૈ કિ માનતે હી નહીં…” પાર્ટીનો માથાનો દુઃખાવો બન્યા છે સાંસદ??
- ✍️ વારંવાર વિવાદો સર્જતાં મનસુખ વસાવાનું રાજકારણ માત્ર આદિવાસી લક્ષી કે સર્વ સમાજ-પ્રજા-સ્વ લક્ષી??
- ✍️ મનસુખલાલ 60% સાચા, તો 40% નારાજગીના રાજકારણથી પોતાનું ધાર્યું કરાવતા હોવાની પક્ષમાં નકારાત્મક ઇમેજ હવે એમને નડશે??
[અંક:1]
ભરૂચ જિલ્લો જૂનો અવિભાજીત હતો ત્યારે ડેડીયાપડા-સાગબારા, રાજપીપળા સહિતની આદિવાસી પટ્ટીવાળી લોકસભામાં ભાજપ વેવમાં પહેલવહેલા અહેમદ પટેલને આશ્ચર્યજનક જ્બરજસ્ત હાર અપાવીને ચંદુ દેશમુખ જીત્યા હતા. મહત્તમ ત્રિકોણીયા જંગમાં છોટુ વસાવાની બીકે ભાજપ દ્વારા ત્યારબાદ ચંદુલાલના અવસાન પછી, પેટા ચૂંટણીમાં પણ VHP નું બેકગ્રાઉન્ડ ધરાવતા મનસુખ વસાવાને સતત છ ટર્મ ટિકિટ આપી અને તેઓ જીત્યા પણ ખરા…જોકે એમની જીત-માર્જિનલ બહુમતી પાછળ ભરૂચ-અંકલેશ્વરના વોટબેંક ગણાતા શહેરી મતદાતાઓ જ નિર્ણાયક બનતા હોવાનું રાજકિય પંડિતોએ હંમેશા વિશ્લેસણ કર્યું છે. એક ખુબજ ચોંકાવનારી વાત એ છે, જે કે સહુ જાણતા જ હશે, કે આ બેઠક ‘રિઝર્વ ‘ બેઠક નથી, સામાન્ય-ઓપન બેઠક છે જ્યાંથી ચંદુભા રાજ અને અહેમદ પટેલે લોકસભામાં પ્રતિનિધત્વ કર્યું છે. પણ મુસ્લિમ અને આદિવાસીઓનું સમીકરણ-સરવાળો આ લોકસભામાં કોઈ બિન આદિવાસી સામાન્ય ઉમેદવારને પસંદ કરવામાં કોઈ પણ પક્ષને બીવડાવે છે, ચલિત કરે છે, હારનો ડર સતાવે છે. જો જીત બહુમતી બિનઆદીવાસી મતોથી થતી હોય, હા મુસ્લિમ મત પણ થોડા જોઈએ, તો બિનઆદીવાસી ઉમેદવાર કેમ નહીં ?? નો વિલાપ-કકળાટ ઘણા લાંબા સમયથી ચાલે છે, પણ ‘ટફ’ ફાઈટમાં જલ્દી કોઈ બિનઆદીવાસી ઉમેદવાર મૂકવાની હિંમત કરતું નથી, અને ના છૂટકે જીતની લ્હાયમાં મોટાભાગના ઉમેદવારોમાં આદિવાસીની પસન્દગી થાય છે. વિશાળ આદિવાસી પટ્ટી હોઈ, જો એમનો ઉમેદવાર લોકસભામાં પહોંચે, તો આ વિસ્તારનો અદભુત વિકાસ થવો જોઈએ, પણ આ વિસ્તારના આદિવાસીઓનો જોઈએ એટલો અને એવો, અદભુત વિકાસ નથી થયો એ પણ એક સનાતન સત્ય છે. આ માટે જોકે મોટાભાગના રાજકારણીઓ છોટુભાઈ વસાવાના વ્યક્તિગત સામ્રાજ્યને, રાજ્ય સરકાર વિરોધી એટીટ્યુડને જવાબદાર ગણે છે, એટલું જ નહીં આ આદિવાસી મસીહાના ડર માત્રથી ભાજપ પણ થોડી સારી, સ્વચ્છ અને પ્રમાણિક હોવાની છબી ધરાવતા મનસુખ વસાવાને જ, ઈચ્છા કે અનિચ્છાએ પણ રિપીટ કરે છે. હા, એક વાર કેન્દ્રીય મંત્રી પણ બનાવ્યા પણ કોઈ પ્રભાવી કાર્ય કરવાના બદલે, પોતીકા ચાર પાંચ પસંદગીના માણસોના ખભે ચાલી, વિકસાવી, ગાંધીનગર સામે ઘુર્કયા કરતા આ નેતાએ છેવટે મંત્રી પદ પણ ગુમાવ્યું…
મનસુખ વસાવા જેટલા પ્રમાણિક હોવાનો દાવો કરે છે, એટલા કદાચ હશે પણ ખરા, પણ એમની આસપાસના ચાર પાંચ ટેકેદારોનું ઝુંડ તો નથી જ નથી, જેમનું સીધું નુકસાન આ નેતાને એમના કહેવાતા-મનાતા ટેકેદારોના કરતૂતો, ખાનગી વાતો દિલ્હી પહોંચતા થતું જ જાય છે…પાછા આખાબોલા હોવાના કારણે, અન્યાય સામે ખુલ્લા બળવો પણ આ સાંસદ જાહેરમાં કરી બેસે છે. દુષણો કરતા તો નથી, તો કેટલાક દુષણો ચલાવી પણ લઈ શકતા નથી. આ સ્વભાવ આ વખતે એમને વધારે વિવાદમાં લઈ આવ્યો છે. એક સમયે તત્કાલીન મુ.મંત્રી આનંદીબેન પછી હવે CR પાટીલ સામે પણ આંખો બતાવવાની કે ખભા ઊંચકવાની ‘શિક્ષા’માં જો મનસુખ ભાઈની ટિકિટ કપાઈ, તો એમના વિરોધીઓ તો સસ્તામાં ફાવી જવાના. એટલે જ અકડાયેલા અને છનછેડાયેલા આ નેતાએ કહી દીધું છે કે ભલે મને ટિકિટ ના મળવાની હોય તો ના મળે, પણ હું ખોટું કે પક્ષવિરોધી કંઈ ચલાવી નહીં જ લઉં…આ વિવાદો વચ્ચે બિનઆદીવાસીને જ ટિકિટ આપો, ના ઉકળાટ વચ્ચે સ્વયં ઉકળી ઉઠેલા વસાવાનું ફાસ્ટ્રેશન કહો કે ફફડાટ, કે ખુદદારી ગાંધીનગર મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકના કદાચ સહુ પ્રથમ વાર કોઈ વર્તમાન સાંસદના બહિષ્કારથી “ગુજરાત ભાજપમાં બધું બરાબર નથી” ના સંદેશા દિલ્હી પહોંચ્યા છે એ પાક્કું. આ આખા બનાવ પાછળ ઘણા ખેલ એ પહેલા જ ખેલાઇ ગયા છે. જે ચાર નામો સાંસદ બોલ્યા છે એમ એક પાંચમું નામ કદાચ ડર કે હેતુપૂર્વક નથી બોલ્યા…
સહુથી પહેલા એમણે સુગર ફેકટરી વડા ઘનશ્યામ પટેલનું લીધું છે, કારણકે કેટલાક મનસુખલાલ વિરોધીઓ એ જો આદિવાસી ઉમેદવારના મુકવો હોય તો સહકારી નેતા તરીકે, પટેલ ઉમેદવાર અને આદિવાસીઓમાં પણ થોડી લોકપ્રિયતા ધરાવતા આ સુગર-દૂધધારા ડેરી/ મંડળીના ચેરમેન સામે સંસદે નિશાન તાક્યું છે, તેઓ મોદીની ગુડ બુકમાં પણ ખરા…
બીજું નામ દર્શના દેશમુખ, જેઓ ધારાસભ્ય તો ખરા જ, પણ સ્વ.ચંદુભાઈ વસાવા ના પુત્રી, આ વિસ્તારના પ્રસિદ્ધ-સેવાભાવી તબીબ પણ ખરા ને એમનું નામ પણ દિલ્હીની નજરમાં વિકલ્પ તરીકે ખરું…ત્રીજું નામ ઝગડીયાના નવા ધારાસભ્ય કાલા ભાઈ ઉર્ફે રિતેશ વસાવા, જે મૂળ છોટુભાઈ જૂથના અને હાલ ઝગડીયા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ પ્રકાશ દેસાઈ, જે પણ મૂળ છોટુ વસાવાના કેમ્પના પણ ઝગડીયા બેઠક જીતાડવાની લ્હાયમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલના ખાસમ ખાસ બનનાર, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ ગ્રુપના એક સેનાપતિ-ટીમ લીડર, કહેવાતા વ્યવસાયિક ભાગીદાર મનાતા હોઈ મનસુખલાલ ભારે વિફર્યા છે, આ સાંસદને ખબર જ છે કે કોણ કેવા, ને કેટલા આડાતેડા, ખોટા વેપલા કરે છે….રેતી હોય કે માટી પરિવહન, GIDC માં બે નંબરી ધધાં કરનારોની આખી કર્મ કુંડળી જાણતા આ સાંસદથી આ બધું જોવાતું નથી…પણ એક મોટું ટોળું એમની પાછળ છે, જો એમને કોઈ બચાવી શકે તો માત્ર મોદી સાહેબ..એ પાક્કું…
બીજો એક પ્રોબ્લેમ મનસુખલાલનું મોટું પીઠબળ એવા VHP ના સૂત્રધાર અશોક સિંઘલ જીવંત નથી, એ મોટી ખોટ આ નેતાને સાલી રહી છે…પણ એમ મનસુખલાલ કોઈને ગાંઠે એવા નથી, અને એમાં પણ INDIA ગઠબંધન, CR પાટીલ વિરુદ્ધની એક સબળ લોબી, ભરૂચના માટી પગા અને નિર્બળ, સ્વાર્થી, વ્યાપારી નેતાઓની સાપેક્ષમાં આ સંસદને અવગણી તો ના જ શકાય, પણ બધાને પ્રશ્ન એ હશે કે મનસુખલાલ પાર્લામેટરી બોર્ડ છોડીને બહાર કેમ નીકળી ગયા?? કોને શુ ને કેવી, કેમ ગેમ રમી હતી એ તો 2 દિવસથી જિલ્લા ભાજપના ગલિયારાઓમાં ખુલ્લે આમ ચર્ચાઈ રહ્યું છે, પ્રશ્ન સત્તાની વહેંચણી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પોતીકાઓને વ્યાપાર- ધધામાં મદદરૂપ નેતાઓની નિયુક્તિ, અહંકાર અને પ્રભાવનો છે…જે NEXT BLOG માં વિગતે સમજીશું…ખેલ મોટો ને ખતરનાક છે, બહુ મોટા પરિવર્તનો આવશે એ પાક્કું…
કર્મશ: