Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchબ્લોગ : નરેશ ઠક્કર, ભરૂચ...29/05/25 ✍️ મારાં વ્હાલા મારાં બ્લોગના પ્રસંશક, ચાહક...

બ્લોગ : નરેશ ઠક્કર, ભરૂચ…29/05/25 ✍️ મારાં વ્હાલા મારાં બ્લોગના પ્રસંશક, ચાહક અને મને પ્રત્યક્ષ કે પરોક્ષ સત્ય માટે લઢવાની પ્રેરણા, શક્તિનાં સાચા સ્ત્રોત એવા મિત્રો માટે હું આ બ્લોગ મૂકી રહ્યો છુ…

Published By : Parul Patel

  • ✍️ મારાં વ્હાલા મારાં બ્લોગના પ્રસંશક, ચાહક અને મને પ્રત્યક્ષ કે પરોક્ષ સત્ય માટે લઢવાની પ્રેરણા, શક્તિનાં સાચા સ્ત્રોત એવા મિત્રો માટે હું આ બ્લોગ મૂકી રહ્યો છુ..
  • ✍️ આપ સહુ જાણો છો કે, 25 વર્ષથી ભરૂચ જિલ્લાનાં સાંસદ રહેલા મનસુખભાઇ વસાવાએ, એક રાજકીય વિશ્લેષણથી વિચલિત થઈ, કોઈકના દોરવ્યા મારી સામે ખોટાં આક્ષેપો કરી, મને જાહેરમાં સત્ય માટે લઢતો બંધ કરવા માટેનો નિંદનીય પ્રયાસ કર્યો, પછી બધું એમના FB એકાઉન્ટ, ટ્વીટર પર મૂક્યું…
  • ✍️ મેં એમને જાહેરમાં એમનીજ ભાષામાં અને એમનાજ FB પર સત્ય સમજાવ્યું.હું ભલે પ્રજાનો અવાજ રજુ કરું, પણ મારાં વાચકો, દર્શકોને મનસુખલાલ સાથેની ન્યાય, સિદ્ધાંત અને જનસેવાની જાહેર લઢાઈમાં કોઈ વધારાનું કષ્ટ આપવા ઈચ્છતો નહતો, એટલે એમના જ હથિયાર FB પર લઢતો હતો..ચેનલ નર્મદાને સાથે લીધા વિના..
  • ✍️ પરંતુ કાલે અમારાં ધ્યાનમાં આવ્યું કે જે કોઈ FB વાપરતું હશે, એમને અમે નીચે આપેલો એમના જ આક્ષેપનો જવાબ ‘કદાચ’ ભૂલથી, અથવા એમની ભૂલ સમજાતા ડિલિટ કર્યાનું ધ્યાને આવ્યું છે, બની શકે કે અમને બ્લોક પણ કર્યા હોય.. Fb પર..!!?
  • ✍️ એટલે વિશાળ જનતાની અદાલતમાં આ જવાબ જે મેં એમના અને મારાં FB પર મુક્યો છે, એને “બ્લોગ”નાં સ્વરૂપમાં જનતા જનાર્દન સમક્ષ મુકું છુ.. હું ન્યાય, સત્ય અને જન સેવાની ઝુંબેશથી વિચલિત થયો નથી, થવાનો પણ નથી… બધાનો સમય આવે છે… ક્યારેક હું પણ છુપા શત્રુઓની નજરે ચઢું, હાથમાં નિર્દોષ ભાવે પણ અડફટમાં આવી ચઢું … ડરતો નથી, સામનો કરવો પડે તો કરવાનો…2005 પણ યાદ છે, પ્રજાનો, સત્યનો પણ સમય તો આવશે જ.. મેં – અમે ઘણી તકલીફો જનહિતના આ યુદ્ધમાં ભોગવી છે, હજુ ભોગવવાની આવશે તો ભોગવીશું.. ભલે કોઈ અજ્ઞાત ડરથી મને મારાં વાચકો, મિત્રો જાહેરમાં સાથનાં આપી શકે , ખુલ્લા દિલથી ‘કોમેન્ટ’ નાં કરી શકો, લોકશાહીની વાણી સ્વતંત્રતાનાં અધિકારનાં ભોગવી શકો, નાં મારે કોઈ ‘લાઈક’ જોઈએ છે, નાં કોઈ બેલ આઇકોન દબાવવાનો છે, નાં ચેનલ સબ્સ્ક્રાઈબ કરવાની છે, નાં રૂપિયો ડોનેટ કરવાનો છે…નાં મને કોઈ ‘વોટ’ જોઈએ છે.. તમે માત્ર મારાં માટે, મારાં ઇષ્ટ દેવ ગણેશજીને બે હાથ જોડી પ્રાર્થના કરજો : કે હું સત્ય અને ન્યાય માટે જનહિત માં લઢતો રહુ…ન્યાય અને ગણેશજીનુ અભેદ સુરક્ષા ચક્ર, ‘હાથ’ મારાં શિર પર રહે..આ છે સાંસદ શ્રી નાં FB પર પોસ્ટ કરેલો એમના આક્ષેપનો અક્ષરશહ જવાબ…

#MansukhVasava

માં.સાંસદ શ્રી, મનસુખલાલ વસાવા દ્વારા મને (નરેશ ઠક્કર ને,) સંબોધીને તારીખ 25/05/2024 ને શનિવારના રોજ મુકેલી આ પોસ્ટનો આ છે મારો જવાબ, એ પહેલાં પુનઃ કહી દઉં કે આ પોસ્ટ સ્વયં સાંસદ શ્રી કરતાં હોય એવુ અમારાં માનવામાં આવતું નથી…લગભગ કોઈક અન્ય દ્વારા એનું સંચાલન કરવામાં આવી રહ્યું છે…અમે સાબિતી શોધી રહ્યા છીએ…બ્રેકેટમાં છે એ મારાં એમના આક્ષેપોનાં મુદ્દાસર જવાબો છે, પ્રશ્ન પણ છે.

(👉 નિશાની વાળા મનસુખલાલ કે એમના વતી લખનારના મારી સામેનાં આક્ષેપો છે.)

👉ખોટા મુદ્દા ફેરવી ધડ-માથા વગરની વાતો કરવાની નરેશભાઈ દ્વારા કોશિશ.. (કોઈજ ખોટાં મુદ્દા ફેરવ્યા નથી, વાત આદિવાસીઓના “કથિત” અપમાન કે જે મેં કર્યું જ નથી, નોર્મલ ચર્ચા હતી, જેની આખે આખી સ્ક્રીપટ આપને FB પર, મારાં FB પર, અને ન્યાયિક જગ્યાઓ પર મોકલી છે, બીજો મુદ્દો R S દલાલની જમીન પચાવી પાડવાનો અન્યાયી આક્ષેપ, સાંસદે મને પત્રના લખી આપતાં, હું એમનાથી અને પક્ષથી નારાજ થયાનો તદ્દન વાહિયાત આક્ષેપનો પુરાવાઓ, સાંસદના ખુદના જ લખેલા બે બે પત્રો FB પર મૂકીને આપ્યા જ છે… એટલે,ના ધડ માથા વગરની વાતો કરવાની અમે કોઈ કોશિશ કરીએ છીએ, નાં કરી છે, નાં કરીશું)

👉નરેશ ભાઈ તમને જણાવવાનું કે તમે મુખ્ય વિષય અને મુદ્દાઓને બદલો નહિ. (કયો મુદ્દો બદલ્યો ભાઈ??ઉપરનું વાંચી લો બધું છે જ ક્ર્મશ:)

👉 તમે તમારી શરૂઆતની પોસ્ટમાં લખ્યું હતું થોડી રાહ જુઓ પુરાવા ઉપલબ્ધ છે એપિસોડ લાંબો ચાલશે તમે જાહેરમાં બધું લખ્યુ, (હાસ્તો.. થોડી નહિ, હવે તો આખુ નવું સંસદીય સત્ર,5વર્ષ સુધી એપિસોડ ચાલશે. બધા બહુ મુદ્દે ઘણું બધું ચાલશે,એમના ખન્ડિયા ટેકદારોના ભ્રસ્ટાચાર, વ્યભિચાર…25 વર્ષનું સાંસદશ્રીનુ ભૂતકાળનું જે પણ સારું નરશું લોક પ્રતિનિધિત્વ રહ્યું છે, તો મારી 32 વર્ષની પત્રકારત્વની કારકિર્દી, અનુભવ અને જાહેર જીવનમાં -જનસેવાની લઢાઈ રહી છે…પહેલાં હું શષ્ઠિ પૂર્તિ કરી નિવૃત્તિનુ વિચારતો હતો, હવે માં. મનસુખલાલ જ્યાં સુધી રાજનીતિમાં હશે, ત્યાં સુધી હું પત્રકારત્વમાં રહીશ એ પાક્કું..એ મારું કર્મ છે, ધર્મ છે)

👉 તથા નરેશ ભાઈએ એવું કહ્યું કે ” મારા અને સામાજિક આગેવાન પર ખૂની હોવાની શંકા મનસુખ ભાઈ દ્વારા થઈ.” (આવું જ્યાં પણ મારાં દ્વારા શબ્દશ: બોલેલુ કે લખાયેલું હોય તો રિટર્ન સ્ક્રીપટ આજ FB પર મુકો, જો તમે જ સાચા હો તો, કારણકે નિર્ભય વાળું જે કાંઈ પોસ્ટ થયું એ એડિટેડ હતું…પછી હું જવાબો આપીશ બધું જ પુરાવા સાથે.. આ ઘટના છેક 2015 નવેમ્બરની છે, બધું જ શોધાવ્યું છે, શોધાઈ જ રહ્યું છે…ઘણું બધું મળ્યું પણ છે… એક વાર પુનઃ મનસુખલાલ સાંસદ બનશે, પછી તો યુદ્ધ, સત્યની લઢાઈ લાંબીજ ચાલશે ને..??!!)

👉 તો નરેશ ભાઈ તમે કે કોઈ બીજા પર ખૂની હોવાની શંકા વિશે મારા કોઈ પણ સોશિયલ મીડીયા પર કોઈ પણ પોસ્ટ મૂકેલ છે ? (આવો કોઈ શબ્દસહ વાક્ય કે વક્તવ્ય લખ્યો, બોલ્યો, સાંભળ્યો, વાંચ્યો હોય,તો પહેલાં આપ એનો સચોટ પુરાવો મુકો મારી સામે આ લખનાર સાહેબ..તમારાં જ FB પર !!?)

👉 મારો આક્ષેપ આ તમે ઇરાદા પૂર્વક મને બદનામ કરવાનું અને કોઇકની સાથે અથડામણના પ્રયાસ કરી રહ્યા છો… (અથડામણનો તો તમે ખુદ જ કરો છો, તમારાં સમાજમાં, તમારાં પક્ષમા, અમે ક્યાં કાંઈ કરાવીએ છે?? જનતા ખુદ જુવે જ છે, આખું રાજ્ય અને હવે આખા દેશે જોયું..બે બે નિર્દોષ ભાજપ પાર્ટીના પાયાના કાર્યકરો સ્વ.શિરીષભાઇ બંગાળી, પ્રજ્ઞેશ મિસ્ત્રીની કરપીણ હત્યા સમયની આ વાત છે…આ ઘટનાના ન્યૂઝ પણ મારી પાસે પડ્યા છે… જેણે પત્ર વાયરલ કરેલો એ રાજકીય કાર્યકર હવે મોટો નેતા બની ગયો છે?!! આજે એ ક્યાં છે?? કોની સોડમાં છે?? એ આખુ ભરૂચ જાણે છે, એ ભાઈ ખુદ મારી પાસે અનેકવાર કબૂલ કરી ગયો છે, આજે તો નહિ જ કરે ને?? આ ન્યૂઝ કલીપ હું Next એપિસોડમાં આપના FB પર પણ ટેગ કરીશ…આ ઘટના -હત્યા પછીના તમારાં પ્રત્યાઘાત,પક્ષવિરોધી ઉચ્ચારણોની નોંધ પક્ષે પણ લીધી જ હતી…રિએક્સન પણ મીડિયા એ લીધા જ છે… શું હવે એ હત્યાકાંડના પરિણામો, ગુન્હેગારોના પકડાવાથી સાંસદશ્રી આપ પૂર્ણ સંતુષ્ઠ છો?? આ વિશે તમે જે તે સમયે શું બોલ્યા હતાં, એ તો તમને યાદ તો હશે જ ને ?? કે એ પણ મીડિયા એ યાદ કરાવવું પડશે નેતાજી??)

👉 તમે ખુલાસાઓ કરીને જનતા ને જણાવો કે મેં ક્યારે તમે ખૂની છો તેવી શંકા મારા ફેસબુક પોસ્ટ પર મૂકી હતી ? (પહેલાં મેં તમને નામ જોગ ક્યારે કહ્યું કે તમે મને ખૂની કહ્યો, એ જણાવો તો આપની કૃપા..ફેસબુક અને વ્હોટ્સઅપ ઓનર ડીલીટ કરી ને પુરાવાઓનો નાશ થઈ શકે, પણ સ્ક્રીન શોટ તો મળી જાય ને?? અને સાયબર કમ્પ્લેન કરીએ તો બધું રિકવર થાય)

👉 તમે જેમ કહ્યું તેમ પુરાવાઓ ઉપલબ્ધ છે એપિસોડ લાંબા ચાલશે તો આ વાતનું સબૂત બતાવો? (બધા બહુ સબૂત મળશે… ન્યાયની યાત્રા, આપની સાથેનો સંઘર્ષ આગળ વધવા દો..)

👉 બાકી વિષય વસ્તુને બદલી જનતાને ગુમરાહ કરવાનું છોડી દેવું જોઈએ. (વિષય વસ્તુને બદલવું એ કામ એક પત્રકારનું ક્યારેય ના હોય, એક રાજકારણીનુ જરૂર હોઈ શકે)

👉 કોઈ પાયા વિહોણી વાત કરી મને બદનામ કરવાના કાવતરાં ના કરવા જોઈએ, (સાહેબ કાવત્રુ તો એડિટેડ કલીપ વાયરલ કરનાર કરે, અમે તો વિઝ્યુઅલ મીડિયામાં 26 વર્ષથી છીએ.. દ્રશ્ય – શ્રાવ્ય માધ્યમ સીધી ને સટ પુરાવાઓ સાથેની વાત)

👉 જનતાને સત્ય ખબર છે જનતા સમજુ છે. તમારી આવી વાતોમાં સમજુ પ્રજા આવશે નહીં. (જનતા સમજુ છે, એ હવે 25 વર્ષે સમજાયું??માં.સાંસદશ્રી મનસુખલાલ અને એન્ડ કમ્પનીને, એમના કેટલાક સત્તાના સ્વાર્થી અને “જળો” બની સારા અને ભોળા એવા આ નેતાને, ચૂસતા કેટલાક જૂજ સ્વાર્થી, ટૂંકા પના ના નેતાઓને,અમે પણ એજ વર્ષોથી કેહતા આવ્યા છીએ અને કેહતા રહીશું કે,જનતા વારંવાર મૂર્ખ નથી બનતી,અને હવે તો ભારતીય જનતા પાર્ટી પણ મૂર્ખ નહિ બને, બધાને ઓળખી ચુકી છે..બહુ જ સમજુ છે લોકો , પાર્ટીનુ નિશાન કમળ છોડીને આવો મેદાને… ડિપોઝીટો પણ જશે..બહુ જ સમજુ છે જનતા, ભણેલી પણ અને ન્યાયની અદાલતો પણ… શીખો રાજકોટની કરુણ દુર્ઘટના ના ઉદાહરણ થી…હવે વારો ભરૂચનો પણ આવશે…બદલાવ નો ઉથલ-પાથલનો અને હા, હું ઉપલબ્ધ તમામ વિઝ્યુઅલ્સ, પુરાવાઓ સમયાંતરે સત્ય પ્રજા સમક્ષ મુકતો જ રહીશ… બ્લોગ, FB અને અન્ય માધ્યમ થકી🙏🙏)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!