- વડાપ્રધાને ૮૨૦૦ કરોડના વિકાસ કાર્યો અને પ્રોજેકટસનું લોકાર્પણ અને ખાતમુર્હુત કર્યું
- વડાપ્રધાને ૯૦ ટકા સ્પીચ ગુજરાતીમાં આપી…ભાષણમાં કેન્દ્રસ્થાને આદિવાસીઓ રહ્યા…
ભરૂચના જંબુસરમાં ₹2500 કરોડથી વધુના ખર્ચે રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું નિર્માણ થશે, જેનું પીએમ મોદીના હસ્તે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું . આ સાથે જ વડાપ્રધાને વિવિધ ઔદ્યોગિક પાર્ક અને ઈન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું

આત્મનિર્ભર ગુજરાતના વિઝનને હાંસલ કરવા માટે, ગુજરાત સરકાર રાજ્યમાં ઉદ્યોગો માટે શ્રેષ્ઠ ઇકોસિસ્ટમ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. તેને અનુરૂપ રાજ્ય સરકાર ભરૂચમાં ₹8238.90 કરોડના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાનું આયોજન કરી રહી છે, જેમાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ, 4 ટ્રાઇબલ પાર્ક, 1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક, 1 MSME પાર્ક અને 2 બહુ-સ્તરીય ઔદ્યોગિક શેડનું ભૂમિપૂજન, ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ, GACLના ચાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, અંકલેશ્વર એરપોર્ટ-ફેઝ-1 નું ઉદ્ઘાટન, ભરૂચ ભૂગર્ભ ગટર અને STP ના કામોનું લોકાર્પણ, ઉમલ્લા અશા પાણેથા રોડ મજબૂતીકરણ અને IOCL દહેજ કોયલી પાઈપલાઈનના ઉદ્ઘાટન જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આજરોજ આ તમામ કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આમોદ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપાના અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, ભરૂચના સાંસદ મનસુખ વસવા, ધારાસભ્યો દુષ્યંત પટેલ, અરુણસિંહ રણા, ઈશ્વર પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ પોતાનું મોટાભાગનું ભાષણ ગુજરાતીમાં કર્યું હતું અને તેઓના કેન્દ્રસ્થાને આદિવાસીઓ રહ્યા હતા.

નરેન્દ્ર મોદીના ભાષણની હાઈલાઈટ્સ
- આમોદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાયમસિંહ યાદવને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી…
- ભરૂચના કમા મુનશી અને ઓમકારનાથ ઠાકુરને યાદ કર્યા
- દેશની પ્રગતિમાં ભરૂચનું યોગદાન ખુબ મહત્વનું છે
- એક જમાનો હતો જ્યારે ભરૂચ માત્ર ખારીસીંગ માટે ઓળખાતું હતું આજે ઉદ્યોગો વેપાર અને બંદરોની બાબતે ભરૂચમાં સમગ્ર વિશ્વમાં જયજયકાર થઇ રહ્યો છે
- ભરૂચ એ મીની ભારત છે
- આજે ભરૂચને બલ્ક ડ્રગ પાર્ક, રાજપીપળાને જોડતો માર્ગ અને જેની વર્ષોથી માંગ હતી એવા અંકલેશ્વરને નવું એરપોર્ટ મળી રહ્યું છે. ડબલ એન્જીનની સરકાર એરપોર્ટનું કામ ઝડપી કરશે.
- એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય તેના કરતા વધારે ઉદ્યોગો ખાલી ભરૂચ જીલ્લામાં છે.
- ભરૂચ જીલ્લાના આદિવાસી અને માછીમારો સમૃદ્ધ થયા છે અને ઉચો કુદકો મારવા તૈયાર છે જુવાનો માટે આ સ્વર્ણિમ કાળની શરૂઆત થઇ ગઈ છે.
- ભરૂચમાં એક સમયે કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ કથળેલી હતી આજે કાયદો અને વ્યવસ્થા સારી થતા ભરૂચ વાસીઓ શાંતિમય વાતાવરણમાં રહેતા થયા છે.
- ભરૂચ જીલ્લામાં આરોગ્યની સુવિધાઓ ન હતી, પીવાના પાણીની સમસ્યા પણ હતી, પરંતુ દરેક સમસ્યાઓનું એક એક કરીને શોધતા ગયા અને નિવેડો લાવતા ગયા.
- પહેલા ગુજરાતમાં છાસવારે કર્ફ્યું લાદી દેવાતો હતો પરંતુ આજે ગુજરાતમાં યુવાનોને કર્ફ્યું એટલે શું તે ખબર પણ નથી, યુવતીઓ અડધી રાત્રે પણ નિશ્ચિંત પણે ઘરે જઈ શકે છે.
- ભરૂચના અવિકસિત વિસ્તારોમાં ઉદ્યોગો લાવવાનું કામ આ સરકારે કર્યું
- ભરૂચ આજે એક્સ્પોર્ટ હબ બન્યું છે. અને વિવિધ ઓદ્યોગિક વસાહતો સમૃદ્ધિના દ્વાર બની છે.
- દુનિયામાંથી હજારો કરોડો મૂડીરોકાણ ભરૂચમાં થયું છે
- કેમિકલના પ્લાન્ટ ક્ષેત્રે દહેજ મોડેલ બની ગયું છે.
- ભરૂચ જીલ્લો વાયબ્રન્ટ બની ગયો છે
- GACLનો કેમિકલ પ્લાન્ટથી ૨૫૦૦ કરોડનું વધુ રોકાણ ઉમેરાશે.
- આપણે વોકલ ફોર લોકલનો કોન્સેપ્ટ અપનાવીએ, આપણે ભારતમાં બનતા ફટાકડા લઈએ.
- આજે ભારતનું અર્થતંત્ર ૫માં નંબરે, છઠ્ઠા નંબરેથી પાંચમાં નંબરે આવ્યા તેમાં મોટું ગૌરવ
- ગુજરાતમાં કંપનીઓનો દેશમાં ૨૫ ટકા હિસ્સો
- ભાડભૂતના બેરેજને રોકવા અનેક અવરોધો ઉભા કરાયા, નક્સલવાદી માનસિકતાવાળા લોકોએ સરદાર સરોવર ડેમને પણ રોકવા કોશિશ કરી, આજે આ લોકોએ માત્ર વાઘા બદલ્યા છે. માનસિકતા એજ છે.
- ગુજરાતમાં ઉમરગામથી અંબાજી વિકાસ થયો અને આદિવાસીઓને રોજી મળી તેથી ગુજરાતમાં નક્સલવાદ ન ફેલાયો પરંતુ હવે કેટલાક અર્બન નક્સલીઓ પગપેસારો કરી રહ્યા છે. જેમને ઓળખવાની જરૂર છે.
- ગુજરાતમાં આદિવાસીઓ માટે અલાયદી યુનિવર્સીટીઓ ઉભી કરી
- ભરૂચ અંકલેશ્વર ટ્વીનસીટી બની રહ્યું છે. યુવાનોને ખાસ વિનંતી આવનાર ૨૫ વર્ષ તમારા છે. આવા વિકાસ યાત્રામાં ખભેખભો મિલાવી આગળ વધીએ.