સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 5.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 25 ફૂટથી વધુ પહોંચતા જીલ્લામાંથી કુલ ૮૦૦થી લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે
ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો….
ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં તબક્કા વાર પાણી છોડવામાં આવી રહ્યું છે ગતરોજ 2 લાખથી વધુ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું હતું જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા એલર્ટ જારી કર્યું હતું ત્યારે આજરોજ ડેમમાંથી 5.45 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું જેને કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે ગતરોજ રાતે નદીની વોર્નિંગ લેવલ સપાટી વધી હતી ત્યારે આજે નદીની સપાટીમાં સતત વધારો થયો છે નદીની સપાટી વધીને ૨૫ ફૂટ ઉપરથી વધુ પહોંચી છે જેને પગલે ભરૂચ ઉપર પુરનું સંકટ ઉભું થતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે.
નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા 53 જેટલા કુટુંબના 186 જેટલા નાગરિકો અને પશુધનનું સ્થળાંતર કરાયું છે જે લોકોને દાંડિયા બજાર મિશ્ર શાળા ક્રમાંક-6 ખાતે સ્થળાંતર કરી તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે પુરના સંકટ વચ્ચે નગર પાલિકાની રેસ્કયુ ટીમ,સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ,સ્થાનિક નગર સેવકો સહિત આગેવાનો ખડેપગે રહી સેવા કાર્યમાં જોડાયા છે જયારે અંકલેશ્વર તાલુકાના સરફૂદ્દીન ગામના ૫૦૦ અને ખાલ્પિયા ગામના ૯૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અત્યાર સુધી જીલ્લામાં ૮૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.જયારે બપોર સુધીમાં નદીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે તો સાંજે ભરતીના પાણીને લઇ ફરી સપાટીમાં વધારો થાય તેવી શકયતા છે.