Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું...

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન…

ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં 22 મી નવેમ્બરથી 24 નવેમ્બર સુધી સત્સંગ સહિત ત્રણ દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ખાતે મંગળવારના રોજ સાંજે 7.30 કલાક થી 10.30 કલાકે સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રેરણાત્મક વિચારો આપવામાં આવશે. બુધવારના રોજ સાંજે 7 કલાકથી 10.30 કલાક સુધી જ્ઞાનવિધિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો 24 નવેમ્બરના રોજ એટલે કે બુધવારે આપ્તપુત્ર સત્સંગનો કાર્યક્રમ સાંજે 7 થી 10.30 કલાક સુધી યોજાશે.

મુલાકાતીઓ જ્યારે મંદિરની મુલાકાત લે ત્યારે પણ કેટલાક આચરણની અપેક્ષા રાખવામાં આવે છે જેમાં મોબાઈલ ફોનને બંધ કરવા, યોગ્ય પોશાક પહેરીને ખભા અને ઘૂંટણનો સમાવેશ કરવો, મંદિરોની બહાર ચપ્પલને દૂર કરવી, મંદિરની અંદર નાજુક કોતરણીઓને સ્પર્શ કરવાથી દૂર રહેવું. ઝાડેશ્વર રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભકતોને વિના મૂલ્યે પ્રવેશ મળશે. તો ભકતોને ઉપસ્થિત રહેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!