- પિતરાઈ ભાઇએ બહેનની હત્યા કરી
ભરૂચના તુલસીધામ વિસ્તારમાં રહેતા હિતેશ કરશનભાઈ જાવીયા દહેજમાં ટ્રેકટર અને ઓટો પાર્ટ્સની દુકાન ધરાવે છે. તેઓની પુત્રી વડોદરા ડેન્ટલમાં અભ્યાસ કરે છે. જ્યારે 20 વર્ષીય પુત્ર પાર્થ તેમની સાથે જ રહી ધંધામાં મદદ કરે છે.આજે મંગળવારે તેઓ સવારે 8 કલાકે દહેજ દુકાને જવા કાર લઈ નીકળી ગયા હતા. ઘરે પુત્ર અને પત્ની મનીષાબેન હતા. દરમિયાન વડોદરાથી તેમનો સાળો મનીષ ગોકળભાઈ ભાલોડિયા આવ્યો હતો.
જે મનીષાબેન જોડે ઝઘડો કરવા લાગતા અને પૈસા માંગતા પુત્ર પાર્થ એ મનીષ મામા આવ્યા છે અને મમ્મી જોડે ઝઘડો કરતા હોવાનું પિતાને ફોન કરી જણાવ્યું હતું.હિતેશભાઈએ ફોન ઉપર મનીષ જોડે તું શેના પૈસા માંગે છે, ઉલ્ટા તારે મને સોનાના પૈસા આપવાના છે. જે મારી પત્નીએ તને આપતા તે વેચી હોટલમાં રોક્યા હોવાની વાત કરી હતી. પુત્રને મનીષ મામને ઘરમાંથી બહાર કાઢી મુકવા પિતાએ જણાવ્યું હતું.
જોકે થોડીવારમાં પુત્રે ફરી પિતાને ફોન કર્યો હતો. કે મનીષ મામાએ મમ્મીને પેટ, ખભા અને પીઠ ઉપર ચપ્પુના ઉપરા છાપરી ઘા મારતા તેઓનું મોત થયું છે. અને મનીષ મામા ભાગી ગયા છે. પત્નીના મોતની ખબર મળતા હિતેશ ભાઈ કાર લઈ ભરૂચ આવવા નીકળ્યા હતા.ભરૂચ સી ડિવિઝન પોલીસને હત્યાની જાણ કરાતા PI એચ.બી. ગોહિલ સ્ટાફ સાથે દોડી આવી તપાસ હાથ ધરી હતી.