કેન્દ્ર સરકાર દ્વારા તારીખ-૧૩મી ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગર પાલિકા દ્વારા ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે રાષ્ટ્ર ધ્વજના સ્થાપન અને રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.