આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તારીખ-૧૩મી ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ સુધી દેશવાસીઓ પોતાના ઘરે ઘરે રાષ્ટ્ર ધ્વજ લહેરાવે તે માટે જન જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચની વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન,વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ,વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ અને તાજીયા કમિટી સહીત વિવિધ ૨૮ સહયોગી સંસ્થાઓ દ્વારા મહંમદપુરાથી પાંચબત્તી સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો અને વિવિધ સ્કુલ,કોલેજોના વિદ્યાર્થીઓ જોડાયા હતા.