Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeALERTભરૂચમાં વરસાદી પાણીના ભરાવા વચ્ચે મચ્છર અને પાણીજન્ય રોગો અટકાવવા કામગીરી...

ભરૂચમાં વરસાદી પાણીના ભરાવા વચ્ચે મચ્છર અને પાણીજન્ય રોગો અટકાવવા કામગીરી…

Published By : Parul Patel

  • પાલિકાએ વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ શરૂ કર્યો

ચોમાસાની મૌસમ સાથે ભરૂચ શહેરમાં હવે પાણી અને મચ્છરજન્ય રોગોનો ખતરો વધી રહ્યો છે.

ચોમાસાની મૌસમમાં શહેરમાં રોગચાળો વકરે નહિ તે માટે ભરૂચ નગર પાલિકાએ કામગીરી હાથ ધરી છે. શહેરના મુખ્ય વિસ્તારો, માર્ગો પર દવાનો છંટકાવ શરૂ કરાયો છે. વરસાદી પાણીના ભરાવા અને ગંદકીના કારણે મચ્છરો સાથે માખીઓનો ઉપદ્રવ પણ વધ્યો છે. આવા સમયે લોકો બીમારીઓનો ભોગ ન બને તે માટે પાણીના ભરાવા સહિત ગંદકીના સ્થળોએ દવાઓ છાંટવામાં આવી રહી છે. અત્રે ઉલેખનીય છે કે, ભરૂચના સ્ટેશન રોડ પર રોટરી કલબ પાછળ દર વર્ષે વરસાદી પાણી રસ્તા પર ભરાવવાની સમસ્યા સર્જાય છે. સાથે જ ગટરો પણ ઉભરાઈ ગંદુ પાણી માર્ગ પર ભરાઈ રહે છે. આ ગંદા પાણીમાંથી સ્કૂલના બાળકોને પસાર થવુ પડી રહ્યુ છે, જેથી આ પાણી ભરાવામાં થતા મચ્છર અને જીવ જંતુના ઉપદ્રવથી બાળકો પણ બીમાર પડે તેવો ભય સતત રેહતો હોય છે. ત્યારે હાલ તો આ હંગામી નિરાકરણ ગણી શકાય પણ નગર પાલિકા તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તે જરૂરી બન્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!