Published By : Parul Patel
- પાલિકાએ વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ શરૂ કર્યો
ચોમાસાની મૌસમ સાથે ભરૂચ શહેરમાં હવે પાણી અને મચ્છરજન્ય રોગોનો ખતરો વધી રહ્યો છે.
ચોમાસાની મૌસમમાં શહેરમાં રોગચાળો વકરે નહિ તે માટે ભરૂચ નગર પાલિકાએ કામગીરી હાથ ધરી છે. શહેરના મુખ્ય વિસ્તારો, માર્ગો પર દવાનો છંટકાવ શરૂ કરાયો છે. વરસાદી પાણીના ભરાવા અને ગંદકીના કારણે મચ્છરો સાથે માખીઓનો ઉપદ્રવ પણ વધ્યો છે. આવા સમયે લોકો બીમારીઓનો ભોગ ન બને તે માટે પાણીના ભરાવા સહિત ગંદકીના સ્થળોએ દવાઓ છાંટવામાં આવી રહી છે. અત્રે ઉલેખનીય છે કે, ભરૂચના સ્ટેશન રોડ પર રોટરી કલબ પાછળ દર વર્ષે વરસાદી પાણી રસ્તા પર ભરાવવાની સમસ્યા સર્જાય છે. સાથે જ ગટરો પણ ઉભરાઈ ગંદુ પાણી માર્ગ પર ભરાઈ રહે છે. આ ગંદા પાણીમાંથી સ્કૂલના બાળકોને પસાર થવુ પડી રહ્યુ છે, જેથી આ પાણી ભરાવામાં થતા મચ્છર અને જીવ જંતુના ઉપદ્રવથી બાળકો પણ બીમાર પડે તેવો ભય સતત રેહતો હોય છે. ત્યારે હાલ તો આ હંગામી નિરાકરણ ગણી શકાય પણ નગર પાલિકા તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તે જરૂરી બન્યું છે.