Published by : Rana Kajal
- શનિ મંદિર ખાતે ચાલતી તડામાર તૈયારીઓ….
પ્રસિધ્ધ અને પ્રાચિન નગર એવા ભરૂચ નગરના દાંડીયાબજાર વિસ્તારમાં આવેલ શનિ મંદિર ખાતે શનિ જયંતિ મહોત્સવની ઉજવણી તા. ૧૯-૦૫-૨૦૨૩ને શુક્રવારના રોજ કરવામાં આવનાર છે. જે અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે શનિ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૯મી ના શુક્રવારે શનિ જયંતિ નિમિત્તે યોજાયેલ કાર્યક્મમાં મંગળા આરતી સવારે ૬.૩૦ કલાકે, મધ્યાનહ આરતી બપોરે ૧૨ કલાકે, શનિયાગ બપોરે ૩ થી ૬ ક્લાકે અને સંધ્યા આરતી સાંજે ૭.૩૦ કલાકે યોજવામાં આવેલ છે. મંદિરમાં દર્શનનો સમય સવારે ૯ થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે.