Home Bharuch ભરૂચમાં 550 થી વધુ વિદ્યાર્થીઓએ 100 % BHARUCH ની માનવ સાંંકળ રચી...

ભરૂચમાં 550 થી વધુ વિદ્યાર્થીઓએ 100 % BHARUCH ની માનવ સાંંકળ રચી સો ટકા મતદાનનો આપ્યો સંદેશ…

0
  • જિલ્લામાં સ્વીપ હેઠળ વધુમાં વધુ મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ નારાયણ વિધાવિહાર શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન અને સ્વિપ નોડલ અધિકારી ડૉ . દિવ્યેશ પરમારના રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વાર મતદાર જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.જે અંતર્ગત જિલ્લાની નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય ડૉ . મહેશ ઠાકર તથા શાળાના પરિવાર દ્વારા 100 % BHARUCH ની માનવ સાંકળ બનાવી મતદારોમાં જાગૃત્તિ કેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લામાં મહત્તમ મતદાન થાય એ ઉદેશ્યથી મતદાન જાગૃત્તિ માટે વિદ્યાર્થીઓએ 100 % BHARUCH ની એક માનવ સાંકળ બનાવી પ્રેરણા આપી હતી. જેમાં 550 જેટલા વિધાર્થીઓએ જોડાઈ માનવ સાંકળ બનાવી હતી. મતદાન જાગૃત્તિના આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version