Home Ankleshwar ભરૂચ-અંકલેશ્વર વચ્ચે સવારે મગર દેખાતા લોકોમાં કુતુહલ…

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે સવારે મગર દેખાતા લોકોમાં કુતુહલ…

0

નર્મદા નદીને મગરોનું ઘર માનવામાં આવે છે ત્યારે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે છાપરા પાટીયા પાસે એક મગર તણાઈ આવ્યો હતો જને જોવા માટે લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું.

નર્મદા નદીમાં હજારો મગર છે અને નર્મદા નદીને મગરનું રહેઠાણ માનવામાં આવે છે. છેલ્લા ૩ દિવસથી ભરૂચ નજીક નર્મદા નદીમાં પુરની સ્થિતિ હતી અને આજે પાણી ઓસરી ગયા હતા. નર્મદાના પુરનાં પાણી સાથે એક મગર તણાઈ આવ્યો હતો જે ભરૂચ – અંકલેશ્વરના માર્ગ ઉપર ભૂતમામાની દહેરી પાસે જોવા મળ્યો હતો. સવારે માર્ગ ઉપર આવન જવાન કરતા લોકોએ તેને જોતા મગરને જોવા માટે ટોળા ઉમટ્યા હતા અને લોકો તેનો ફોટો તેમજ વિડીયો ઉતારતા નજરે પડ્યા હતા. બનાવ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી જેઓએ મગરને પકડી સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version