Home Bharuch ભરૂચ : ઔદ્યોગિક અને માનવ વસાહતોનો વિસ્ફોટથી વન્ય પ્રાણીઓની મૃતપ્રાય થતી આબાદી…

ભરૂચ : ઔદ્યોગિક અને માનવ વસાહતોનો વિસ્ફોટથી વન્ય પ્રાણીઓની મૃતપ્રાય થતી આબાદી…

0

Published By : Patel Shital

  • વન્ય જીવોની વસ્તીમાં 8 વર્ષમાં 50 % સુધીનો ઘટાડો…
  • જિલ્લામાં ચિતલ, સાભર, ચીકારા, ભેંકર, વરૂ અને સસલાં સહિતે ગુમાવ્યું અસ્તિત્વ…
  • એકમાત્ર દીપડાને બાદ કરતાં તમામ પ્રાણીઓની ઘટતી જતી જનસંખ્યા…

ભરૂચ જિલ્લો ઔદ્યોગિક આધુનિકતા અને માનવ વસાહતોના વિકાસમાં આગળ વધી રહ્યો છે તેટલી જ હરણફાળ ઝડપે વન્યજીવો અસ્તિત્વ ગુમાવી રહ્યાં છે.

ભરૂચ જિલ્લામાં વર્ષ 2015 માં કરવામાં આવેલી વન્ય જીવોની વસ્તી ગણતરી મુજબ 1956 રોઝ, 8 ચોંસિંગા, 19 ભેંકર, 7761 મોર, 4581 વાનર, 402 લોકડી, 26 વરૂ, 3855 જંગલી ભૂંડ, 171 ઝરખ, 3608 સસલાં, 195 શાહુડી, 122 શિયાળ અને 217 મગરમચ્છ નોંધાયા હતા.

8 વર્ષ પેહલાની પ્રાણીઓની વસ્તી ગણતરીમાં પણ જિલ્લામાં એક પણ ચિતલ, સાંભર, ચીકારા મળી આવ્યા ન હતા.

હવે 2023 ની વન્યજીવ આબાદીમાં તેઓની બરબાદી વધુ જોવા મળી રહી છે. દર વર્ષે પ્રાણીઓ અસ્તિત્વ સામે જંગ લડી રહ્યાં છે.

હાલમાં જ કરાયેલી વન્ય જીવન વસ્તી ગણતરીમાં ભરૂચ જિલ્લામાં 1561 રોઝ મળ્યા છે. 219 ચોસિંગા, 3873 મોર, 2630 વાંદરા, 48 ઝરખ, 52 વણીયર, 1460 જંગલી ભૂંડ નોંધાયા છે.

જ્યારે જંગલી બિલાડી 23, લોકડી 17, દીપડા 59, ઘુવડ 21, શિયાળ 26, શાહુડી 13, રોઝ 1561 મળી આવ્યા છે. જેમાં વણ ઓળખાયેલા 105 પ્રાણીઓની પણ હાજરી જોવા મળી છે. જો કે આ સંખ્યા અંદાજીત હોવાનું વન વિભાગ ગણાવે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version