Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ જિલ્લાકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની નેત્રંગમાં ઉજવણી...મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયો...

ભરૂચ જિલ્લાકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની નેત્રંગમાં ઉજવણી…મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયો…

Published By : Parul Patel

  • વિકાસની મુખ્યધારામાં આદિજાતિ સમાજને લાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે : મંત્રી કુંવરજી બાવળીયા

વિશ્વ આદિવાસી દિવસની ભરૂચ જિલ્લાકક્ષાની ઉજવણી નેત્રંગ સ્વામીનારાયણ મંદિર સંકુલ ખાતે કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો.

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં કુલ રૂ.18 કરોડના ખાતમુહૂર્ત અને વ્યક્તિગત લાભાર્થીઓને જુદી જુદી યોજના હેઠળ લાભ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વન અધિકાર અધિનિયમ હેઠળ 559 વન અધિકાર પત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. જેમાં અંદાજે કુલ 593.85 હેક્ટર જેટલી જમીન આદિવાસી લાભાર્થીઓને મળ્યા હતા. મંડપ યોજનાના ૧૨૦ લાભાર્થીઓને પૂર્વ મંજૂરી પત્ર એનાયત કરાયા હતા. માનવ ગરિમા યોજના હેઠળ 41 લાભાર્થીઓને જુદી જુદી કીટ વિતરણ તથા વ્યક્તિગત ધોરણે મકાન સહાયના 76 લાભાર્થીઓને મંજૂરી પત્ર અપાયા હતાં.

કાર્યક્રમમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરા, પ્રયોજના વહીવટદાર વી જી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી, મારૂટિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!