Published by : Rana Kajal
- હવે જિલ્લાનાં ખેડુતોને ફૂલ, ફળ કે શાકભાજી બગડવાનો ભય નહી રહે…
- ઓછી કિંમતે અનાજ વેચવાની મજબુરી પણ નહી રહે…
ભરૂચ જિલ્લાના ફૂલ, ફળ કે શાક ભાજી ઉગવતા કે પછી અનાજ પકવતા ખેડુતોને કોઇ ચિંતા નહી રહે તેવા દિવસો આવી રહ્યાં છે. સરકારે વિશ્વની સૌથી મોટી ફૂડ સ્ટોરેજ યોજનાને મંજૂરી આપી છે સાથે જ રૂ એક લાખ કરોડનો ખર્ચ પણ મંજુર કરેલ છે જેનો લાભ ભરૂચ જિલ્લાને પણ મળશે.. સરકારની ફૂડ સ્ટોરેજ યોજના કે જે વિશ્વની સૌથી મોટી આ પ્રકારની યોજના છે. તે યોજના સાકાર કરવા સરકારે જંગી ખર્ચને પણ મંજૂરી આપી છે. આ યોજનાની સૌથી મોટી બાબત એ છે કે તાલુકા મથક ખાતે ફૂડ સ્ટોરેજ ઉભા કરવામા આવશે . તેથી ભરૂચ જિલ્લાનાં નવે નવ તાલુકાઓમાં સ્ટોરેજ ઉભા કરવામા આવશે. તેથી ફળ, ફૂલ અને શાકભાજીના ખેડુતોને શું લાભ મળશે તેની વિગત જોતા હવે તો પુરની આગાહી સમયસર કરી શકાય છે ત્યારે ફળ, ફૂલ અને શાકભાજીને ખેડુતો કોલ્ડ સ્ટોરેજમાં મુકી શકાશે. તેથી પુરની આફત માં નુકશાન નહી થાય. કે ઓછા ભાવ હોય ત્યારે અનાજ વેચવા માટે ખેડૂત મજબૂર નહી બને… આવા દિવસો આવી રહ્યાં છે તેમ છતાં હજી રાહ જોવી પડશે…




