Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ જિલ્લાના પાલેજથી પાનોલી સુધી હાઈવેની બન્ને તરફ લાગશે બાહુબલી વાડ…

ભરૂચ જિલ્લાના પાલેજથી પાનોલી સુધી હાઈવેની બન્ને તરફ લાગશે બાહુબલી વાડ…

Published By:- Bhavika Sasiya

  • રેલવે અકસ્માતો નિવારવા બેરીકેટેડ બાદ દેશમાં હાઇવે પર પશુ અકસ્માતો રોકવા સરકાર લાવી રહી છે બાહુબલી વાડ
  • દેશના હાઇવે પર પશુઓને આવી ચઢતા અટકાવવા પરિવહન મંત્રી નીતિન ગડકરીની બાહુબલી પશુ ફેંસિંગનો પ્રસ્તાવ
  • સરકારે બાહુબલી કેટલ ફેન્સ લાગુ કરવાની યોજના બનાવી.
  • 1.20 મીટર ઊંચી વાડનો હેતુ ઢોરોને રોડ ક્રોસ કરતા અટકાવવાનો.

ભરૂચ જિલ્લામાં પાલેજથી પાનોલી સુધી 70 કિમીના હાઇવે પર પશુઓ દ્વારા સર્જાતા અકસ્માતો અટકાવવા આગામી સમયમાં બાહુબલી વાડ લગાવાશે.

દેશના ધોરીમાર્ગો પર રોડ ક્રોસ કરતી વખતે ઢોર અવારનવાર અકસ્માતનો ભોગ બને છે. કેટલીકવાર લોકો તેમની સાથે અથડાઈને જીવ પણ ગુમાવે છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ હવે આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણે હાઇવે પર બાહુબલી પશુઓની ફેન્સીંગ લગાવવાની યોજના તૈયાર કરી છે. જેના કારણે ભારતના હાઇવે પર પશુઓને રસ્તો ક્રોસ કરતા અટકાવવામાં આવશે. સરકારનું માનવું છે કે, આનાથી અકસ્માતો ઘટી શકે છે.

નીતિન ગડકરીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું છે, કે સરકાર ભારતમાં હાઈવે પર બાહુબલી કેટલ ફેન્સ એટલે કે બાહુબલી પશુ વાડ લાગુ કરવાની યોજના બનાવી રહી છે. તેનો હેતુ ઢોરોને રોડ ક્રોસ કરતા અટકાવવાનો છે. આ સાથે ખતરનાક અકસ્માતો પણ ઓછા કરવા પડશે.

આ વાડ 1.20 મીટર ઉંચી હશે. એક વ્યાપક ઉકેલ તરીકે તે હાલ NH-30 ના વિભાગ 23 પર સ્થાપિત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!