Published by : Anu Shukla
- સુત્રોચ્ચારો, પ્લે કાર્ડ સાથે 7 મુદાઓને લઈ કલેકટરને આપ્યું આવેદનપત્ર
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ભાજપ સરકાર સરકારી પરીક્ષાઓ યોજવામાં સતત નિષ્ફળ જઈ રહી હોય મુખ્યમંત્રીના રાજીનામાંની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જવાથી 9 લાખ 53 હજારથી વધુ પરિક્ષાર્થીઓનું ભાવિ અને ભાવનાઓ ઉપર પણ સરકારે પાણી ફેરવી દીધુ હોવાનો આક્ષેપ ભરૂચ જિલ્લા કોંગ્રેસે કર્યો હતો. ગુજરાતની ભાજપ સરકારમાં છાશવારે ફૂટતા પેપરો સામે સરકાર નિષ્ફળ રહી હોય મુખ્યમંત્રીના રાજીનામાંની માંગ સાથે શનિવારે કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં પેપરકાંડના મુખ્ય અપરાધીને પકડવા, સીટની રચના કરી પેપરકાંડનો કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવવા. સરકારી પ્રિન્ટિંગ પ્રેસ હોવા છતાં ખાનગી પ્રેસમાં પેપર કેમ છપાઈ છે. જ્યાં સુધી પરીક્ષાની તારીખ જાહેર ન કરાઇ ત્યાં સુધી દર મહિને ઉમેદવારોને 5000 રૂપિયાનું મહેનતાણું આપવા અને બસ તેમજ રેલવેમાં પરીક્ષા માટે મફત મુસાફરીની માંગણી કરાઈ હતી. પેપર કાંડમાં દોષીતો સાથે અધિકારીઓને પણ કડક સજા કરવા રજુઆત કરાઈ હતી. આવેદનપત્ર આપવામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, આગેવાન સંદીપ માંગરોલા, સમસાદ અલી સૈયદ, અરવિંદ દોરાવાલા સહિત શહેર તેમજ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.