Friday, September 12, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratભરૂચ જિલ્લા સહીત ગુજરાત રાજયના વેપારીઓને રાહત…

ભરૂચ જિલ્લા સહીત ગુજરાત રાજયના વેપારીઓને રાહત…

  • સસ્પેન્ડ થઇ ગયેલા GST નંબરો હવે ઓનલાઇન કાર્યરત થઇ જશે
  • જીએસટી કચેરીના ધક્કા ખાવામાંથી વેપારીઓને મળેલી રાહત

ભરૂચ જિલ્લા સહીત ગુજરાત રાજયના વેપારીઓ માટે રાહત પ્રાપ્ત થાય તેવા સમાચાર સાપડી રહયા છે.જી. એસ. ટી.ના સસ્પેન્ડ થયેલ નબર હવે સરળતાથી ફરી શરૂ કરી શકાશે. જેથી વેપારીઓને મોટી રાહત પ્રાપ્ત થશે

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) દ્વારા નિયત કરવામાં આવેલા તમામ રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ રહેતા વેપારીઓના જીએસટી નંબર સસ્પેન્ડ કરવામાં આવે છે, અને બાદમાં આવા નંબર ચાલુ કરાવવા માટે વેપારીઓને “નેવાના પાણી મોભ ચડે’ છે. પરંતુ હવે વેપારીઓને આ પ્રક્રિયા ઓનલાઇન થઇ જવાથી કચેરીના પગથીયા ઘસવામાંથી હવે મુક્તિ મળી ગઇ છે. આ બાબતે વિગતે જોતા સસ્પેન્ડ થઇ ગયેલા GST નંબરો હવે ઓનલાઇન કાર્યરત થઇ જશે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) દ્વારા નિયત કરવામાં આવેલા તમામ રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ રહેતા વેપારીઓના જીએસટી નંબર સસ્પેન્ડ કરવામાં આવે છે, અને બાદમાં આવા નંબર ચાલુ કરાવવા માટે વેપારીઓને ખૂબ તકલીફો પડે છે. પરંતુ હવે વેપારીઓને આ પ્રક્રિયા ઓનલાઇન થઇ જવાથી કચેરીના પગથીયા ઘસવામાંથી મુક્તિ મળી ગઇ છે.એક વખત જીએસટી નંબર સસ્પેન્ડ થઇ ગયા બાદ વેપારીઓ, તેઓના બાકી રહી ગયેલા જીએસટી રિટર્ન ફાઇલ કરી અને તેની સંબંધિત કોપી લઇને જીએસટી કચેરીએ જવું પડતુ હતુ. જીએસટી અધિકારીઓ વારંવાર ધક્કા ખવરાવવા છતા નંબર પુન: ચાલુ કરવામાં અખાડા કરતા હતા. જીએસટી કાઉન્સિલને પણ આ અંગેની ભારે ફરિયાદો સાંપડી હતી.હવે વેપારીઓના જીએસટી નંબર સસ્પેન્ડ થયા હોય તેની પાછળ કારણોની પરિપૂર્તિ કરી અને પેન્ડિંગ રિટર્ન ફાઇલ કરવાથી કોમ્પ્યુટર દ્વારા સંબંધિત જીએસટી નંબરની ક્વેરી પૂર્ણ થઇ જશે અને સસ્પેન્ડ થયેલા જીએસટી નંબર પુન:કાર્યરત થઇ જશે.

તેમ છતાં બોગસ બિલિંગ, ખોટા ડોક્યુમેન્ટ વડે લેવામાં આવેલા જીએસટી નંબરો સ્થળ ચકાસણીમાં પકડાયા હોય તેવા કિસ્સામાં કોમ્પ્યુટરની એન્ટ્રી અલગ પ્રકારની હોય છે, તેથી આવા સસ્પેન્ડ થયેલા નંબર આપમેળે પુન: ચાલુ થઇ શકશે નહીં. પરંતુ સાચા વેપારીઓને “પાડાના વાંકે પખાલીને ડામ’ જેવી સ્થિતિનો સામનો કરવો પડે નહીં તેનો સંપૂર્ણ ખ્યાલ રખાયો છે.આમ આ પ્રક્રિયા ઓનલાઈન થઈ જતા કચેરીના ધક્કામાંથી મુક્તિ મળી છે. અત્યાર સુધી કેવી પરિસ્થિતી હતી તેની વિગત જોતાં જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં ચૂક રહી ગઇ હોય, રહી ગયુ હોય તેવા કિસ્સામાં વેપારીઓના જીએસટી નંબર સસ્પેન્ડ કરવામાં આવે છે. જે રિટર્ન ફાઇલ કર્યા બાદ પુન: કાર્યરત થવામાં ખાસ્સો સમય લાગે છે. તેના કારણે વેપારીઓનો નંબર કાર્યરત નહીં હોવાથી તેઓની સાથે અન્ય વેપારીઓ ખરીદ-વેચાણ જેવા વ્યાવસાયિક વ્યવહારો કરવાથી અંતર રાખતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!