Published By : Parul Patel
કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ભરૂચ જિલ્લા સહીત રાજયના ખેડુતોને ભારે આર્થિક નુકશાન થયું છે. ત્યારે હવામાન ખાતા દ્વારા હજી બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી, આમતો સમગ્ર રાજયમાં માવઠા અંગેની આગાહી કરવામાં આવી છે. તેમ છતાં દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, અને કચ્છ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસે તેવી આગાહી કરી છે. કમોસમી વરસાદના પગલે રાજ્યમા ઘઉં તેમજ કેરીનાં પાકને વ્યાપક નુકશાન થયું હોવાના પગલે ખેડુતો સરકારી સહાયની આશા અને અપેક્ષા રાખી રહ્યા છે.