- જિલ્લાની પ્રજા ગભરાય નહિ પણ રહે સાવચેત, આરોગ્ય અને વહીવટી તંત્રનું તમામ આગોતરું આયોજન : રમેશ મિસ્ત્રી
- ભરૂચ સિવિલ સાથે જિલ્લામાં પૂરતું માનવબળ, ઓક્સિજન, દવાઓ, લેબ : સિવિલ સર્જન
- છેલ્લા 24 કલાકમાં આરટીપીસીઆર ટેસ્ટમાં કોઈએ પ્રવેશ કર્યો નથી, કોઈ પોઝિટિવ કેસ નહી
- દરેકને ફરી એકવાર કોવિડ દિશાનિર્દેશોનું પાલન કરવા અને સુરક્ષિત રહેવા વિનંતી, સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અભિનવ શર્મા
ભરૂચ જિલ્લામાં કોવિડની સંભવત ચોથી લહેરને ધ્યાને લઈ આજે મંગળવારે સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં મોકડ્રિલ યોજાઈ હતી.ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જિલ્લાનું વહીવટી અને આરોગ્ય તંત્ર સાથે સરકાર સંભવત કોવિડની ચોથી લહેર ઉઠે તો તેનો સામનો કરવા 5 મોડમાં એલર્ટ અને સક્ષમ હોવાનું કહી. દરેકને કોવિડથી ગભરાયા વગર ગાઈડલાઈનનું પાલન કરવા સૂચન કર્યું હતું.
ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, હોસ્પિટલની અંદર સ્થાપિત ઓક્સિજન લિક્વિડ મેડિકલ ટાંકી અને ઓક્સિજન વિતરણ નેટવર્કની તપાસ કરવા માટે પરિસરની અંદર મોકડ્રીલ હાથ ધરી હતી. તે સાથે એમપીજીએસ, ઉપલબ્ધ બેડ, ઓક્સિજન સિલિંડર, જરૂરી દવાઓ અને લોજીસ્ટીકની ઉપલબ્ધી, પી.પી.ઈ. કીટની ઉપલબ્ધી તેમજ ઉપલબ્ધ સ્ટાફની તાલીમ/ ઓરીએન્ટેશન જેવી બાબતો આવરી લઈ તમામ પાસાની ચકાસણી કરવામાં આવી હતી.
જિલ્લાની સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અભિનવ શર્માએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં હાલમાં કોઈ દર્દી દાખલ નથી અને છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલમાં કરવામાં આવેલા RTPCR ટેસ્ટમાં કોઈ પોઝિટિવ કેસ બહાર આવ્યો નથી. દર્દીઓના પ્રવાહના કિસ્સામાં 50 બેડ તૈયાર રાખ્યા છે જે આગામી સમયમાં 200 બેડ સુધી લઈ જવામાં આવશે. તે સાથે 80 જેટલા વેન્ટિલેટર છે. તે ઉપરાંત 27 થી વધુ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર ઉપલબ્ધ છે. જ્યારે 1668 લિટર ઓક્સિજન જનરેશન પર મિનિટ ઓક્સિજનનો પરિસરમાં સંગ્રહ કરવાની સુવિધા છે.
બધા કામ કરી રહ્યા છે અને વિતરણ વ્યવસ્થા પણ સારી રીતે કામ કરી રહી છે.દરેકને ફરી એકવાર માસ્ક પહેરવા, હાથ ધોવા અને ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવાની કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરાઈ હતી.મોકડ્રીલના સમયે જિલ્લા આરોગ્ય અધિકારી જે. એસ. ધુલેરા, મેડીકલ કોલેજ સુપિટેન્ટેટ આર .કે. બસંલ, હોસ્પિટલના સ્થાનિક પી.આર.આઈ. સભ્યો, તેમજ વિભાગના વડાઓએ વગેરે હાજરી આપી હતી.