Friday, September 12, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ નગરના રહીશોને આવતીકાલથી નિયમિત પાણી મળે તેવી શક્યતા….

ભરૂચ નગરના રહીશોને આવતીકાલથી નિયમિત પાણી મળે તેવી શક્યતા….

Published by : Rana Kajal

  • નહેરના ભંગાણનું સમારકામ થયું પુર્ણ…

ભરૂચ નગરના રહીશોને વીતેલા કેટલાક દિવસોથી નિયમિત અને રાબેતા મુજબનો પાણી પુરવઠો મળતો ન હતો. નહેરમાં ઝનોર પાસે ભંગાણ સર્જાયું હતું. જેના પગલે ભરૂચ નગરના રહીશોને રાબેતા મુજબનો પાણી પુરવઠો આપી શકાયો ન હતો. પરંતુ બે ટંકના સ્થાને માત્ર એક જ ટંક પાણી આપવામાં આવતું હતું. પરંતુ નહેરનું સમારકામ પુર્ણ થઈ જતા હવે આવતી કાલ તા. 11 એપ્રિલથી રાબેતા મુજબ પાણી પુરવઠો આપી શકાશે એમ નગરપાલિકા પાણી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું. અત્રે નોંધવું રહ્યું કે કેનાલમાં વારંવાર ભંગાણની સમસ્યા સર્જાય છે અને તેના પગલે પાણી પુરવઠો ખોરવાય છે તેથી નહેરનું સમારકામ મજબુત રીતે કરવામાં આવે એટલું જ નહી પરંતુ વારંવાર નહેરમાં ભંગાણ ન પડે તેવી કાયમી વ્યવસ્થા ગોઠવાય તેવી લોક માંગ ઉભી થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!