- ઉત્તરાયણ પર્વમાં અનિચ્છનિય ઘટના ન બને તે માટે પાલિકાએ લીધો નિર્ણય
ઉત્તરાયણ પર્વના દિવસે કોઈ અકસ્માત ન બને અને કાતિલ દોરાથી કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉત્તરાયણ પર્વે સિટીબસમાં મુસાફરી કરવા માટે લોકોને પ્રેરણા આપવા આખા દિવસ દરમિયાન નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે.
ઉત્તરાયણના દિવસે કાતીલ દોરીથી અનેક અકસ્માતો સર્જાય છે. અને કેટલાયના જીવ જાય છે. આ દિવસે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ઉત્તરાયણ પર્વ નિમિતે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતી કાલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અને મકરસંક્રાતિના તહેવાર નિમિત્તે નગરપાલિકા સંચાલિત સીટી બસ દ્વારા જાહેર જનતાના હિત અર્થે વિના મૂલ્યે મુસાફરી કરી શકશે તેવી જાહેરાત કરાશે. જેથી ઉત્તરાયણના દિવસે લોકો પોતાના વાહનોમાં મુસાફરી કરવાનું ટાળે અને આ દિવસે કોઈ અનિચ્છનિય ઘટના ન બને. શહેરીજનો વધુમાં વધુ સિટીબસનો ઉપયોગ કરે અને પોતાના ખાનગી વાહનોનો ઉપયોગ ન કરે જેથી અકસ્માત ન બને તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.