Home Bharuch ભરૂચ નજીક જંબુસર બાયપાસ ઓવર બ્રીજ 24 કલાક માટે બંધ…

ભરૂચ નજીક જંબુસર બાયપાસ ઓવર બ્રીજ 24 કલાક માટે બંધ…

0
  • બ્રીજ પર મરામતની કામગીરી હાથ ધરાશે…

ભરૂચ નજીક ભરૂચ-દહેેજ બાયપાસ રોડ પર આવેલા જંબુસર ચોકડી પરના બ્રીજનું પશ્ચિમ રેલવે દ્વારા મરામત કરવામાં આવનાર છે. જેના પગલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટેે બ્રીજ પર વાહન વ્યવહાર બંધ રાખવાનો હૂકમ કર્યો છે. તેેમજ ડાયવર્ઝન રુટ પણ જાહેર કર્યો છે.ભરૂચથી દહેજને જોડતાં બાયપાસ રોડ પર જંબુસર ચોકડી પર બનાવાયેલા બ્રીજ પર પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા મરામતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના પગલે બ્રીજને 24 કલાક સુધી બંધ રાખવા માટેનો જરૂરી અભિપ્રાય ભરૂચ જિલ્લા પોલીસી અધિક્ષક પાસેથી મંગાવવામાં આવ્યો હતો. જેના આધારે બ્રીજ પરના વાહન વ્યવહારને બંધ રાખવા સાથે ડાયવર્ઝનની જરૂરિયાત સર્જાઇ હતી.

ભરૂચના એડિશન અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.આર.ધાંધલે બ્રીજના મરામતની કામગીરીને લઇ બુધવારે 21મી ડિસેમ્બરના રોજ બપોરના 12 વાગ્યાથી 24 કલાક સુધી જંબુસર બાયપાસ ઉપરના રોડ પરથી વાહન વ્યવહારને બંધ રાખા હૂકમ કર્યો છે. ભરૂચના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. આર. ધાંધલ દ્વારા શેરપુરા ત્રણ રસ્તાથી જંબુસર બાયપાસ બ્રીજ પર થઇ મનુબર ચોકડી સુધીનો રસ્તો બંધ કરવાનો હૂકમ કરાયો છે. જેના વાહનોને ડાઇવર્ઝન રૂટમાં શેરપુરા ત્રણ રસ્તા થઇ જંબુસર બાયપાસ બ્રીજ નીચે સર્વિસ રોડ થઇ મનુબર ચોકડી સુધી જવાની સૂચના આપવામાં આવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version