Home Bharuch ભરૂચ પંથકમાં વાદળ છાયું વાતાવરણ…. ભરૂચ જિલ્લામાં સવારે 6થી બપોરે 2 વાગ્યા...

ભરૂચ પંથકમાં વાદળ છાયું વાતાવરણ…. ભરૂચ જિલ્લામાં સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં 4 ઈંચ વરસાદ વરસ્યો…

0

Published by : Rana Kajal

  • અમદાવાદ સહીત સમગ્ર રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી…

ભરૂચ પંથકમાં આજે વહેલી સવારથીજ વાદળ છાયું વાતાવરણ છવાઈ ગયું હતું. તેમજ તીવ્ર પવન ફુંકાવાની શરૂઆત પણ થઈ હતી આ સાથે વીજળીના કડાકા ભડાકા પણ થતા કયારે વરસાદ તુટી પડે તે કહેવાય નહિ તેવી પરિસ્થિતીનુ સર્જન થયુ હતું.. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહીત સમગ્ર રાજયમા વાવાઝોડા સાથે વરસાદની કરવામા આવી છે હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા આ સ્થિતિ સર્જાઈ છે વધુમા આવનારા ચાર દિવસો સુઘી રાજ્યમા વાવાઝોડા અને વરસાદનું વાતવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. તેવામાં ભરૂચના હવામાન ખાતાના જણાવ્યા મુજ્બ આજે તા 4 જૂનના રોજ સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમા 4 ઈંચ વરસાદ વરસ્યો હતો . જેમા અંક્લેશ્વર તાલુકામાં 2મીમી, આમોદ માં 1 મીમી જંબુસર માં 3 મીમી ઝઘડિયામાં 10 મીમી નેત્રંગ માં 44 મીમી ભરૂચમાં 6 મીમી અને વાલિયામાં 33મીમી વરસાદનો સમાવેશ થાય છે

https://narmadanews.co.in/wp-content/uploads/2023/06/WhatsApp-Video-2023-06-04-at-11.18.19.mp4

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version