Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ : વાવાઝોડા બિપોરજોય પર તંત્રની વોચ, 29 ગામો સાથે 5 ઔદ્યોગિક...

ભરૂચ : વાવાઝોડા બિપોરજોય પર તંત્રની વોચ, 29 ગામો સાથે 5 ઔદ્યોગિક એકમોને પણ એલર્ટ કરાયા

Published By:-Bhavika Sasiya

  • સરેરાશ 30 થી 40 KM ની ઝડપે પવન ફૂંકાવાની વકી.
  • જિલ્લાનું વહીવટી તંત્ર ખડે પગે તહેનાત.
  • જિલ્લા-તાલુકા કક્ષાના તમામ કન્ટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત.
  • સંભવત ભરૂચ જિલ્લાના કાંઠે અસરની ઓછી શકયતા છતાં તંત્રની તમામ મોરચે વ્યવસ્થા.

અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડુ ગુજરાતના કાંઠાને ધમરોળવાની દહેશત વચ્ચે ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે તેની સંભવત પ્રતિકુળ અસરોને લઈ જિલ્લાનું વહીવટી તંત્ર બુધવારથી જ એલર્ટ થઈ તમામ પરીસ્થિતિઓને પહોંચી વળવા સાબદુ બન્યું છે.

ભરૂચ જિલ્લાના વાગરા, જંબુસર અને હાંસોટ 3 તાલુકાના કાંઠાના 29 ગામોને સાબદા કરાયા છે. સાથે જ જિલ્લા ડિઝાસ્ટર અને તાલુકા સ્તરે પણ તમામ કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત કરી દઇ તમામ અધિકારીઓ, મામલતદાર, પ્રાંત, તલાટીઓને સ્થિતિ પર સતત નજર રાખવા સૂચના અપાઈ છે.

વાવાઝોડાને લઈ દહેજ બંદરે ભયસુચક સિગ્નલ બે દિવસથી લગાડી દેવાયુ છે. તમામ માછીમારોને આગામી 12 જૂન સુધી દરિયો નહીં ખેડવા સુચનાઓ આપી દેવાઈ છે. ભરૂચની 5 જેટીઓને પણ તકેદારી માટે તાકિદ કરવામાં આવી છે.

જિલ્લામાં વાવાઝોડાની વર્તાનાર સંભવત અસરને લઈ સલામતી તેમજ તકેદારીના ભાગરૂપે જિલ્લાનું તંત્ર અને ડિઝાસ્ટર તમામ વ્યવસ્થા સાથે પરિસ્થિતિ મુજબ કામગીરી કરવા તહેનાત થઈ ગયુ છે.

હવામાન વિભાગ તરફથી ભરૂચ જિલ્લાને મળેલી માહિતી મુજ 30 થી 40 કીલોમીટરની ઝડપે પવના કુંકાવાની શકયતા વ્યકત કરાઈ છે. વાવાઝોડાને લઈ ચક્રવાતની સંભાવના નહી હોવાનું હવામાના વિભાગ જણાવી રહ્યુ છે .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!