- બાજુમાંથી નર્મદા નદી વહેતી હોવા છતાં દુષિત પાણી પીવા મજબુર હોવાના રહીશોના આક્ષેપ
- પાલિકાના વોટર વર્કસ કમિટીના ચેરમેને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવા ખાતરી આપી
ભરૂચ શહેરના વોર્ડ નંબર-૯માં આવેલ કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં પીવાના દુષિત પાણીને પગલે સ્થાનિકો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવી રહ્યા છે.
છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેરના વોર્ડ નંબર-૯માં આવેલ કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં પાલિકાના વોટર વર્કસ કમિટી દ્વારા પાણી પુરવઠો આપવામાં આવે છે ત્યારે કેટલાક સમયથી આ વિસ્તારમાં દુષિત પાણી સાથે સાપના કણ અને જીવાતો આવતી હોવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે.
આજે પણ પીવાના દુષિત પાણી આવતું હોવાથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે દુષિત પાણીને લઇ સ્થાનિકોએ વેચાતું પાણી લાવી પીવા મજબુર બન્યા છે ત્યારે સ્થાનિકોએ આજરોજ પાલિકાના વોટર વર્કસ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિને રજૂઆત કરવા પહોંચ્યા હતા જેઓએ સ્થાનિકોની વેદના સંભાળી વોટર વર્કસના એન્જીનીયરને સુચના આપી તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી.