Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ સાંસદ મનસુખ વસાવાની રાજપીપળા ગાંધી ચોક ખાતે ઓપન ડિબેટનું તંત્રે કરી...

ભરૂચ સાંસદ મનસુખ વસાવાની રાજપીપળા ગાંધી ચોક ખાતે ઓપન ડિબેટનું તંત્રે કરી નાખ્યું એપ્રિલફૂલ…

Published by : Rana Kajal

  • નર્મદા જિલ્લા વહીવટી અને પોલીસ તંત્રની ગાંધી ચોક ખાતે જાહેર ચર્ચા પર પાબંદી
  • ‘ભાજપ’ અને ‘આપ’ બન્ને પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહેતા અરાજકતા ફેલાવાનો ભય
  • સવારથી જ પોલીસ ફોર્સ ખડકી દેવાશે હવે BJP સાંસદ અને AAP ધારાસભ્ય ઉમટશે તો તંત્ર શું કરશે જોવું રહ્યું
  • જનતાના પ્રશ્નો હોય તો કલેકટર હાઉસ કે પંચાયત ભવન ખાતે બેઠક કરી ઉકેલ લાવવા ટકોર

ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પેહલી એપ્રિલે રાજપીપળાના ગાંધી ચોક ખાતે AAP ધારાસભ્યને ચર્ચા કરવા આપેલી ઓપન ચેલેન્જને નર્મદા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે નામંજુર કરી ડિબેટને ‘એપ્રિલફૂલ’ બનાવી દીધી છે.

નર્મદા જિલ્લામાં તમામ નેતાઓ હપ્તાખોરના નનામા પત્રને લઈ છેલ્લા કેટલાક સમયથી આદિવાસી ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના MLA ચૈતર વસાવા વચ્ચે રાજકીય મહા સંગ્રામ જામ્યો છે.

આજે શુક્રવારે BJP ભરૂચ સાંસદે આપના ધારાસભ્યની ઓપન ચેલેન્જને સ્વીકારી હતી. પેહલી એપ્રિલે રાજપીપળા ગાંધી ચોકમાં પ્રજા વચ્ચે પ્રશ્નોના એપ્રિલ ફૂલ દિવસે જ આદિવાસી નેતાઓ વચ્ચે ઓપન હાઉસ યોજવાની જાહેરાત કરાઈ હતી.

ભરૂચ MP મનસુખ વસાવાએ સોશ્યલ મીડિયા ઉપર ચૈતર વસાવા દ્વારા કરેલ આક્ષેપ પર વધુ એક જવાબ આપી જાહેરમાં ચર્ચાની ચુનોતીને સ્વીકારી હતી. બીજી તરફ આપના ધારાસભ્યે પણ પોતે હાજર રેહશેનું એલાન કરી દીધુ હતું.

ચૈતર વસાવા દ્વારા ચેલેન્જ કરેલ ઓપન ડિબેટ કરવા અર્થે તારીખ પ્રથમ એપ્રિલ, શનિવાર રાજપીપળાના ગાંધી ચોક પર સવારે 10 વાગ્યે હાજર રહેવાની સાંસદે જાહેરાત કરી હતી.

બીજી તરફ આપના નેતાઓએ પણ આદિવાસીઓને અંબાજીથી ડાંગ સુધી શનિવારે હાજર રહેવા સોશ્યલ મીડિયા પર આમંત્રણ આપી દીધું હતું. આપ ધારાસભ્યએ પણ આ ઓપન ચેલેન્જ સ્વીકારી લઈ વહીવટી અને પોલીસ તંત્રને લેટર પણ મોકલી આપ્યો હતો.

આપ અને ભાજપના આ ઓપન હાઉસનું તંત્રે સુરસુરીયું કરી દીધું છે. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓપન ચેલેન્જ ડિબેટ અંગે મહત્વનો સંદેશ જારી કરાયો છે. રાજપીપળા વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારની ઓપન ચેલેન્જ સ્વીકારવાની મનાઈ કરવામાં આવી છે. જનતાના પ્રશ્નો હોય તો મુખ્ય લોકો આવી કલેકટર હાઉસ કે પંચાયત ભવન ખાતે બેઠક કરી ઉકેલ લાવે તેવી સલાહ અપાઈ છે.

ભાજપ અને AAP બંને પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહેવાથી અરાજકતા ફેલાવવાનો ભય હોવાથી વહીવટી તંત્ર આ ઓપન ચેલેન્જ મુદ્દે રજા અપાઈ નથી. નર્મદા જિલ્લા પોલીસ વડા SP પ્રશાંત સુબે સાથેની વાતચીતમાં તેઓએ પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા આ જાહેરમાં ચર્ચા કરવાની પરવાનગી નહિ અપાઈ હોવાનું અને સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી તંત્ર કોઈને ભેગા થવા નહિ દે તેમ જણાવી દીધું છે.

હવે એક એપ્રિલે આપ ધારાસભ્ય અને સાંસદની ચેલેન્જનું એપ્રિલફૂલ થાય છે કે, તેઓ ભેગા થતા વહીવટી તેમજ પોલીસ તંત્ર તેમની સામે શુ એકાશન લે છે તે જોવું રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!