જુના ભરૂચના હાજીખાના બજારમાં આવેલી વર્ષો જૂની અત્યંત જર્જરિત શ્રેયસ હાઇસ્કૂલની દિવાલ મંગળવારે સવારે તૂટી પડી હતી. જોકે પાછળના ભાગે ધરાશયી થયેલી દિવાલથી આગળ અભ્યાસ કરતા વિધાર્થીઓનો સદનસીબે બચાવ થયો હતો.
અત્યંત જર્જરિત શાળામાં 80 છાત્રો અભ્યાસ કરતા હતા
પાલિકાના ફાયર ફાઇટરોએ દોડી આવી તપાસમાં શાળાનું મકાન અત્યંત જોખમી હોવાનો રિપોર્ટ કરી શાળાને સીલ કરી દીધી છે. આ શાળામાં 80 વિધાર્થીઓ અભ્યાસ કરે છે.
સંચાલકો દ્વારા 2001 ના ભૂકંપની જમીન કે વૈકલ્પિક વ્યવસ્થાની રજુઆત છતાં 21 વર્ષથી તંત્ર નિષ્ક્રિયનો આક્ષેપ
બીજી તરફ શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓએ ઘટના અંગે જણાવ્યું હતું કે, 2001ના ભૂકંપમાં શાળાના મકાનને નુકશાન થયું હતું. તંત્ર અને સરકાર પાસે જમીન કે વૈકલ્પિક વ્યવસ્થાની શારદા એજ્યુકેશન ટ્રસ્ટે રજુઆત કર્યાના 21 વર્ષ થવા છતાં કોઈ ઉકેલ લવાયો નથી.