Published by : Vanshika Gor
મહાશિવરાત્રી પર્વ ના દીવસે 16.5 ફૂટનો વ્યાસ ધરાવતા 250 કિલો વજનના શંખને ભવનાથ મંદિરે ખુલ્લો મૂકાશે
ભવનાથ મંદિરે આજે મહાશિવરાત્રીના દિવસે આનંદ અને ઉમંગનો દિવસ છે જ્યારે 6 કારીગરની 1.5 મહિનાની મહેનત બાદ રૂ 12 લાખમાં શંખ તૈયાર થયેલ શંખને ભક્તોના દર્શન અર્થે મૂકવામાં આવશે…
શંખ નિર્માણ અંગેની વિગત જોતા મૂળ જૂનાગઢની દિકરીએ મુંબઇમાં શંખ તૈયાર કરાવ્યો છે જૂનાગઢના ભવનાથ મંદિર ખાતે મુંબઇથી આવેલા 16.5 ફૂટનો વ્યાસ ધરાવતો 250 કિલોના આર્ટિફિશિયલ શંખને મહા શિવરાત્રિના પાવન દિવસે વિધી બાદ દર્શનાર્થે ખુલ્લો મુકવામાં આવશે. આ અંગે મૂળ જૂનાગઢની દિકરી અને હાલ મુંબઇ રહેતા સોનલબેન પટેલ-સાવંતે જણાવ્યું હતું કે, 16.5 ફૂટનો 250 કિલોના આર્ટિફિશિયલ શંખ મે મુંબઇના બાબુલનાથ મહાદેવ મંદિર,નાશિકમાં તેમજ અનેક શિવ મંદિરોમાં આવા શંખ આપ્યા છે. દરમિયાન જૂનાગઢના ભવનાથ મંદિરમાં અગાઉ દર્શને આવેલ ત્યારે જ અહિં પણ શંખ મૂકવાની અંતરથી ભાવના જાગી હતી. બાદમાં ક્રિપાબેન શાહ, જયશ્રીબેન દેસાઇ વગેરેએ સાથે મળીને આ આર્ટિફિશ્યલ શંખ બનાવરાવ્યો છે.
6 કારીગરોની 1.5 મહિનાની મહેનત બાદ પંચદ્રવ્યોથી બનેલા આ શંખને તૈયાર કરવા સફળતા મળી છે. રૂ 12 લાખના ખર્ચે તૈયાર થયેલ આ શંખને મુંબઇથી જૂનાગઢ ટ્રકમાં લવાયો છે જે ત્રણ દિવસે અહિં પહોંચ્યો છે. આ શંખને હવે આજે મહા શિવરાત્રિના પાવન દિવસે ષોડષોપચાર વિધી બાદ લોકોના દર્શનાર્થે ખુલ્લો મુકવામાં આવશે.
આજે- મહા શિવરાત્રિના પાવન દિવસે સવારે 10થી 11 પૂજનવિધી કરાશે. બાદમાં ભવનાથ મંદિરના પ્રવેશ દ્વાર પાસે જ આ શંખને સ્ટેન્ડ બનાવી ગોઠવાશે. ખાસ કરીને શંખ વગાડ્યા બાદ જ શિવજીની આરતી થાય છે. ત્યારે આવા શંખના દર્શન માત્રથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે એમ ગિરીશભાઇ કોટેચા, ડેપ્યુટી મેયર. જૂનાગઢે જણાવ્યુ હતુ..