Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateભાઈઓની યાદમાં શરૂ કર્યુ બહેને ભોજનાલય… માત્ર 5 રૂપિયામાં ઘર જેવુ ભોજન

ભાઈઓની યાદમાં શરૂ કર્યુ બહેને ભોજનાલય… માત્ર 5 રૂપિયામાં ઘર જેવુ ભોજન

Published by : Rana Kajal

ઝાંસીમાં એક એવી ભોજનાલય છે જ્યાં માત્ર 5 રૂપિયામાં ભરપેટ ભોજન મળે છે. ઝાંસીના માનેક ચોકમાં સ્થિત આ દુકાનનું નામ જનતા રસોઈ છે. છેલ્લા 2 વર્ષથી ત્યાં 5 રૂપિયામાં ભોજન મળી રહ્યુ છે. કરૂણા સ્વરૂપ આ જનતા રસોઈની શરૂઆતની કહાની પણ પ્રેમભરી છે. જનતા રસોઈની દેખરેખ રાખનારા પ્રહલાદ સાહુએ જણાવ્યુ કે બે વર્ષ પહેલા કોરોના કાળમાં બે ભાઈ વિનય અને આલોક અગ્રવાલનું દેહાંત થઈ ગયુ હતુ. તેમની યાદમાં અને તેમના નામને જીવંત રાખવા માટે તેમની બહેન મધુ અગ્રવાલે આ જનતા રસોઈની શરૂઆત કરી. આજે દરરોજ 100 લોકો ત્યાં ભોજન કરે છે. જનતા રસોઈમાં ભોજન બનાવનાર પ્રમોદ અગ્રવાલે જણાવ્યુ કે ત્યાં દરરોજ અલગ વ્યંજન બને છે. અડદ અને ચણાની દાળ, છોલે, કઢી જેવા વ્યંજન ત્યાં બને છે. દરરોજ બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી ત્યાં ભોજન મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!