Published by : Vanshika Gor
હવે મેહુલ ચોકસી દુનિયા મા ગમે ત્યા ફરી શકશે… ઇન્ટર પોલે મેહુલ ચોકસી સામેની રેડ કોર્નર નોટીસ પાછી ખેંચી લીધી છે. તેથી હવે કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર મેહુલ ચોકસી દુનિયામા ગમેત્યાં જઈ શકશે પંજાબ નેશનલ બેંકમાં રૂ. 13,000 કરોડના કૌભાંડ કેસમાં ફરાર હીરા વેપારી મેહુલ ચોક્સીનું નામ ઈન્ટરપોલની ‘રેડ નોટિસ’માંથી હટાવી દેવામાં આવ્યું છે. ફ્રાન્સના લિયોન શહેરમાં ઇન્ટરપોલ હેડક્વાર્ટરમાં ચોક્સીએ કરેલી અરજીના આધારે આ પગલું ભરવામાં આવ્યું છે. બીજી તરફ સીબીઆઈએ આ ઘટનાક્રમ પર કોઇ પ્રતિક્રિયા આપી નથી રેડ નોટિસ શું છે તે અંગે જોતા ‘રેડ નોટિસ’, 195 સભ્યોની રાષ્ટ્ર-રાજ્ય સંસ્થા ઇન્ટરપોલ દ્વારા વિશ્વભરની કાયદા અમલીકરણ એજન્સીઓને પ્રત્યાર્પણ, શરણાગતિ અથવા સમાન કાનૂની કાર્યવાહી માટે આરોપી વ્યક્તિને શોધવા અને અટકાયત કરવા માટે જારી કરાયેલ ‘ચેતવણી’ ઉચ્ચતમ સ્તર છે. ઇન્ટરપોલે 2018માં ચોક્સી વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરી હતી.
તે ભારતમાંથી ફરાર થયાના લગભગ 10 મહિના બાદ આ નોટિસ જારી કરવામાં આવી હતી. તે જ વર્ષે, ચોક્સીએ એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા લીધી હતી ચોક્સીએ તેમની સામે રેડ નોટિસ જારી કરવાની સીબીઆઈની અરજીને પડકારી હતી અને આ કેસને રાજકીય ષડયંત્રનું પરિણામ ગણાવ્યો હતો. તેની અરજીમાં ચોક્સીએ ભારતમાં જેલની સ્થિતિ, તેની અંગત સુરક્ષા અને સ્વાસ્થ્ય જેવા મુદ્દા પણ ઉઠાવ્યા હતા. રિપોર્ટ અનુસાર ચોક્સીની અરજી બાદ મામલો પાંચ સભ્યોની ઇન્ટરપોલ કમિટીની કોર્ટમાં ગયો હતો. આ સમિતિને કમિશન ફોર કંટ્રોલ ફાઇલ્સ કહેવામાં આવે છે. કમિટીએ સુનાવણી બાદ રેડ નોટિસ રદ કરી છે .