Home Election 2022 ભાજપની અપેક્ષિત જીત માટે આદિવાસીઓ નિર્ણાયક સાબીત થશે…

ભાજપની અપેક્ષિત જીત માટે આદિવાસીઓ નિર્ણાયક સાબીત થશે…

0

ગુજરાત વિધાનસભાની ચૂટણીનાં દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે હવે ચૂટણીમાં સ્ટાર પ્રચારકોએ જાહેર સભાઓ ગજવવાની શરુઆત કરી દીધી છે. આવા જ ઍક ભાજપ માટે અતિ મહત્વના એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત વિધાન સભાની ચુંટણીમાં પ્રચારની શરુઆત કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ જાહેર સભા નાના પોઢા ખાતે યોજાઇ હતી. નાના પોઢા એ ગુજરાતના છેવાડાના અને સાથે જ આદિવાસીઓની મોટી વસ્તી ધરાવતો વિસ્તાર છે. વડા પ્રધાનની પહેલી ચુંટણી પ્રચાર સભા આદીવાસી વિસ્તારમાં યોજાઇ તે સૂચક બાબત છે. ભાજપ માટે આ વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસીઓ નિર્ણાયક સાબિત થશે. તેવા સંકેત આપવામા આવ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version