Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022ભાજપની ઓફર હતી કે અમે ગુજરાત છોડી દઈએ તો  જૈનને છોડશે :...

ભાજપની ઓફર હતી કે અમે ગુજરાત છોડી દઈએ તો  જૈનને છોડશે : અરવિંદ કેજરીવાલ 

AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતના અમદાવાદમાં ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપે ઓફર કરી હતી કે જો અમે ગુજરાત છોડી દઈએ તો તેઓ સત્યેન્દ્ર જૈનને છોડી દેશે. આ સાથે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરના પત્રને ‘ભાજપની મનોહર કહાનિયા ‘ ગણાવવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું  આ દરમિયાન તેમણે ગુજરાત ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. કેજરીવાલે સત્યેન્દ્ર જૈનના કેસ પર કહ્યું કે અમને ભાજપ તરફથી ઓફર મળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ગુજરાત છોડી દો, અમે સત્યેન્દ્ર જૈનને છોડી દઈશું. કહ્યું કે ઘણા સમય પહેલા મનોહર કહાનિયા  આવતી હતી, તેવી જ રીતે આ બધી ભાજપની મનોહર કહાનિયા  છે. મોરબીમાં બનેલી ઘટના પરથી ધ્યાન હટાવવા માટે આ બધું કરવામાં આવ્યું હતું, પરંતુ ભાજપની આ  વાતોને કોઈ ખરીદશે નહીં. અરવિંદ કેજરીવાલે કહ્યું કે સત્યેન્દ્ર જૈનને વધુ 3 મહિના જેલમાં રાખો. અમને તોડી નહીં શકે. અમે લોકો માટે બોલીએ છીએ. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!