Published by : Rana Kajal
- અધિકારીઓ અને કોન્ટ્રાકટરોએ ત્રાસી જઇ ઉચ્ચ કક્ષા સુધી નનામી પત્ર લખ્યો
- સાંસદ મનસુખ વસાવાને પણ પત્ર મળ્યો
- પત્રમાં લખેલા તમામ આક્ષેપો સાચા છે… સાંસદ
નર્મદા જિલ્લામાં ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ તમામ પક્ષના નેતાઓ અને ઉચ્ચ કાર્યકર્તા સામે એવા આક્ષેપો કર્યા કે સાંસદ ને એક નનામી પત્ર મળ્યો છે જેમાં મોટા કોન્ટ્રાકટર અને અધિકારીઓ પાસે ખંડણી હપ્તા અને ટકાવારી માંગવામાં આવે છે અને આ સિલસિલો મોટા પાયે ચાલતો થયો છે જેવોનું કહેવું છે કે આ કોઈ એક પક્ષના લોકો નહીં પરંતુ પત્રમાં તમામ પક્ષોના ઉલ્લેખ છે જેમાં ભાજપ ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પણ નામ છે.
સાંસદે પણ સ્વીકાર્યું છે કે આ નનામી પત્રમાં જે લખ્યું છે એ તમામ આક્ષેપો સાચા છે હવે એટલી હદે આ ટકાવરી માંગે છે કે જેમાં અધિકારીઓ અને મોટા કોન્ટરેક્ટરો ત્રાસી ગયા છે કોઈ પણ વિકાસના કામોમાં જો ટકાવારી અને ખંડણી આપવામાં આવે તો સ્વાભાવિક છેકે જેમાં સરકારના પૈસા નો દૂર ઉપયોગ થવાનો છે અને ભ્રસ્તાચાર થાય જ આમ તો કેટકાલ લોકો અધિકારીઓ પાસે અને કોન્ટ્રાકટરો પાસે હપ્તા ઉઘરાવે છે અને સીધી રીતે ન આપે તો જેની અધિકારીઓ પાસે અને પ્રજાને ગેરમાર્ગે દોરવા તપાસ માગે છે અને જે તપાસ માગતા પણ પાછા હપ્તા માગે છે જોકે આવા કટકીબાજ લોકોનો સમય પૂરો થવાનો છે