Published by : Rana Kajal
ભરૂચ તાલુકાના ભાડભૂત પંથક વિસ્તારમાં રહેતા રાઠોડ સમાજ દ્વારા રમેશ સોમા રાઠોડની આગેવાનીમાં ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભાડભૂત પંથકના રાઠોડ સમાજના લોકો વર્ષો થી ભારેશ્વર મહાદેવ પાસેના સ્મશાનમાં મૃતદેહોને દફનાવે છે. રાઠોડ સમાજની આ સ્મશાન ભૂમિ છે અને પેઢીઓથી આજ ભૂમિ પર તેઓ મૃતદેહને દફનાવતા રહ્યા છે ત્યારે હવે ભાડભૂત બેરેજ યોજનાનુ કામકાજ શરૂ થતા આ નિર્માણ અંગે વાહનોની અવરજવર થતી હોય રાઠોડ સમાજની સ્મશાનની ભૂમિ દિવસે દિવસે લુપ્ત થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા સ્મશાન અંગે નવી જમીન ફાળવવામાં આવે તેવી માંગણી રાઠોડ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી કરવામાં આવી છે. આવેદનપત્ર પાંઠવવામાં રાઠોડ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.