Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeGovermentભાડા કરારને લઈને મોદી સરકારે બનાવેલા આ નિયમો…ક્યારે વધારી શકાય ભાડું..? એડવાન્સ...

ભાડા કરારને લઈને મોદી સરકારે બનાવેલા આ નિયમો…ક્યારે વધારી શકાય ભાડું..? એડવાન્સ ડિપોઝિટ કેટલા..?

Published By : Parul Patel

ભાડુઆત અને મકાનમાલિક વચ્ચે ભાડાથી લઈને સુવિધાઓ સુધી અનેક બાબતે વિવાદ થાય છે. આ વિવાદોના ઉકેલ માટે કેન્દ્ર સરકારે 2021માં Tenacny Act, 2021 નવા ભાડા કાયદાને મંજૂરી આપી હતી. આ કાયદામાં મકાનમાલિક અને ભાડુઆત બંનેના અધિકારો નક્કી કરવામાં આવ્યા છે. જો કે હજુ પણ મોટાભાગના લોકો આ કાયદાથી અજાણ છે. મિલકત ભાડે આપતા પહેલા ભાડા કરાર કરવો ફરજિયાત.

Tenacny Act શું છે?
મકાન-દુકાન અથવા કોઈપણ જગ્યાના ભાડાને નિયંત્રિત રાખવાનો અને મકાનમાલિકો અને ભાડૂતોના હિતોનું રક્ષણ કરવાનો અને ભાડા સત્તામંડળની સ્થાપના કરવાના સરકારના હેતુથી જ Tenacny Act, 2021 લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ મિલકતના માલિક અને ભાડૂત વચ્ચે લેખિત કરાર એટલે કે ભાડા કરાર ફરજિયાત છે. ભાડા કરારની નોંધણી માટે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં એક સ્વતંત્ર સત્તામંડળની સ્થાપના કરવામાં આવી છે. અને એક અલગ કોર્ટ પણ બનાવવામાં આવી છે. નિયમોનું પાલન કરવું પડે છે.

કોઈપણ મિલકત ભાડે લેતા પહેલા સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડે છે, પરંતુ આના માટે Tenacny Act, 2021 માં કેટલાક નિશ્ચિત નિયમો છે. ભાડુઆતને રહેણાંક જગ્યા માટે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે મહત્તમ 2 મહિનાનું ભાડું અને બિન-રહેણાંક જગ્યા માટે વધુમાં વધુ 6 મહિનાનું ભાડું ચૂકવવું પડે. આથી વધારે રકમ મકાનમાલિક સિક્યોરિટી ડિપોઝિટ તરીકે લઈ શકશે નહીં. આ રકમ મકાનમાલિકે ભાડૂત ઘર છોડ્યાના 1 મહિનાની અંદર પરત કરવાની રહે છે. મકાનમાલિકે ભાડુઆતને ભાડુ વધારવા માટે ઓછામાં ઓછા 3 મહિના અગાઉથી નોટિસ આપવી પડે છે.

મિલકતની જાળવણી:

ભાડાની મિલકતની જાળવણી મકાનમાલિક અને ભાડૂત બંને દ્વારા સંયુક્ત રીતે કરવાની રહે છે. મકાનમાલિક ઘરના રંગકામ માટે જવાબદાર રહેશે, જ્યારે ભાડૂત પાણીના જોડાણની મરામત અને વીજ જોડાણની મરામત માટે જવાબદાર રહેશે. કાયદાકીય રીતે મકાનમાલિક જ્યારે ઇચ્છે ત્યારે ભાડુઆતના ઘરે આવી શકે નહિ. આ માટે મકાનમાલિકે આગમનના 24 કલાક પહેલાં ભાડૂતને જાણ કરવી પડે છે. કોઈપણ વિવાદના કિસ્સામાં મકાનમાલિક ભાડૂતને વીજળી અને પાણીનો પુરવઠો રદ કરી શકશે નહીં. જો મકાનમાલિકે ભાડા કરારમાં દર્શાવેલ તમામ શરતને અનુસર્યો હોય અને તેમ છતાં મુદતની સમાપ્તિ પર જો ભાડૂત જગ્યા ખાલી કરવામાં નિષ્ફળ જાય, તો મકાનમાલિક માસિક ભાડું બમણું અને આગળ 4 ગણા સુધીનો હકદાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!